________________
૫૦
તન્વાખ્યાન,
----
---
-
-
-----
-
છે, પરંતુ તે અત્ર આપવાથી સ્વતંત્ર એક ગ્રંથ થઈ જાય માટે આપવામાં આવેલ નથી.
પ્રત્યભિજ્ઞાન પ્રમાણુનું નિરૂપણું
અનુભવ અને સમૃતિરૂપ બને કારણે દ્વારા ઉત્પન્ન થયેલ તથા તિર્ય સામાન્ય, ઊર્ધ્વતા સામાન્ય, વિસદશ પરિણામ વિગેરેને વિષય કરવાવાળું જે જ્ઞાન તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. દરેક ગાયમાં રહેલ ત્વરૂપ સરખા પરિણામને તિર્યસામાન્ય સમજવું અને સુવર્ણથી બનાવેલ વીંટી, કડું, કંદરે વિગેરે પર્યામાં રહેલ અન્વયી રૂપ સુવર્ણ દ્રવ્યને ઊર્વતાસામાન્ય સમજવું. એવી રીતે દરેકમાં ઘટાવવું.
- ભાવાર્થ-દરેક ગાયમાં અથૉત્ કાળી, પીળી, રાતી, ધોળી વિગેરે દરેક ગામમાં ગોત્વનામને પરિણામ સરખી રીતે રહેલ છે તે ત્વપરિણામનું નામ જ તિર્યસામાન્ય સમજવું. ઉત્તરોત્તર એક બીજાની પછી અનુક્રમે ઉત્પન્ન થતા પર્યાયમાં રહેલ જે અનુગત દ્રવ્ય અર્થાત અન્વયી રૂપ દ્રવ્ય તેનું નામ ઉર્વતાસામાન્ય સમજવું. હવે પ્રત્યભિજ્ઞાનને ભાવાર્થ સમજાવવામાં આવે છે–અનુભવ તથા સમૃતિથી ઉત્પન્ન થયેલ અને ઊર્વતાસામાન્ય, તિર્યફસામાન્ય, વિસદશ પરિણામ વિગેરે વિષયવાળા સંકલનારૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. તે આ જિનદત્ત છે, તેના જેવી આ ગાય છે, ગાયના જે આ રેઝ છે, ગાયથી વિલક્ષણ આ પાડે છે વિગેરે તેનાં ઉદાહરણે સમજવાં. હવે અનુભવ, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન આ ત્રણના ભેદ સમજાવવામાં આવે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org