________________
જૈનદર્શન.
પ્ર. અનુભવને આધીન હોવાથી સ્મૃતિને પૃથક્ પ્રમાણુ રૂપે કેવી રીતે માની શકાય? માટે સ્મૃતિ પૃથક્ પ્રમાણુરૂપ નથી.
ઉ૦ એવી રીતે કહેવાથી તે પ્રમાણની કથાનેજ લેપ થઈ જવાને, કારણ કે અનુમાન પ્રમાણ પણ વ્યાપ્તિજ્ઞાન અને પક્ષમાં હેતનું દર્શન આ બેને આધીન હોવાથી તે પણ પ્રમાણરૂપે ન મનાવું જોઈએ.
પ્રવે પ્રથમ અનુભવેલ વિષયેના પ્રદર્શન દ્વારા અને નિશ્ચય કરાવવાવાળી સ્મૃતિ તે પદાર્થના નિશ્ચયમાં પૂર્વ અનુભવને આધીન–પરતંત્ર હવાથી પ્રમાણરૂપ નથી અને અનુમાન જ્ઞાન તે ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખે છે, તે પણ પિતાના વિષયમાં સ્વતંત્ર હવાથી પ્રમાણરૂપ માનવામાં કંઈ પણ અડચણ નથી, માટે અનુમાન પ્રમાણ છે અને સ્મૃતિ અપ્રમાણ છે.
ઉ૦ ઉપર બતાવેલ ન્યાય સ્મૃતિને પણ પ્રમાણરૂપ માનવામાં જ્યારે સરખેજ છે ત્યારે એકને પ્રમાણરૂપ માનવું અને બીજાને નહિ એ કંઈ બુદ્ધિમત્તા કહી શકાય નહિ. જેવી રીતે અનુમાન જ્ઞાનેત્તિમાં વ્યાપ્તિ વિગેરેની અપેક્ષા રાખવાવાળું છે અને પિતાના વિષયમાં સ્વતંત્ર છે તેવી રીતે સ્મૃતિ પણ ઉત્પત્તિમાં અનુભવની અપેક્ષા રાખે છે, તે પણ પોતાના વિષયમાં પિતે સ્વતંત્ર હવાથી તેને પ્રમાણરૂપે માનવામાં શી અડચણ છે? આવી રીતે સ્મૃતિને પ્રમાણરૂપે માનવામાં ઘણી યુક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org