SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. નિવિકલ્પક જ્ઞાનને પ્રમાણરૂપે કાઇ પણ રીતે માની શકાય તેમ નથી. જે જ્ઞાન વસ્તુની યથાર્થ રીતે વિશેષરૂપથી ઓળ– ખાણ કરાવે તેજ જ્ઞાન પ્રમાણુરૂપ કહી શકાય. સ્તંભ, પત્થર અને ઘટ,પટની માફ્ક જ એવા સનિક ને જો પ્રમાણુરૂપે માનવામાં આવે તે ઘટ, ૫૮ વિગેરે જડ પદાર્થીએ શેા અષરાધ કર્યાં ? કારણકે જડપણુ અને સનિક ઘટ, પટ વિગે રૂમાં જ્યારે સરખું જ છે ત્યારે એવી શી રાજાજ્ઞા છે કે એકને પ્રમાણુરૂપે માનવું અને બીજા જડને નહિ માનવું ? સાટે કાઈ પણ રીતે જડ પદાર્થને પ્રમાણુરૂપે સ્વીકારી શકાય તેમ નથી. વસ્તુના નિશ્ચાયકમાં વન્ધ્યાપુત્ર સમાન સંશય, વિષચ્ય અને અનધ્યવસાય જ્ઞાનને દૂર કરવા માટે પ્રમાણુના લક્ષમાં વ્યવસાયિપદ મૂકવામાં આવેલ છે. કિ`ચ, આ વાત પણ પ્રાસ'ગિક મળ આવે તેમ છે કે સુખ અને સુખસાધન સામગ્રીરૂપે ઉપાદેય પદાને ગ્રતુણુ કરવામાં સમથ હોય તથા દુઃખ અને દુખસાધન સામગ્રીરૂપ હૈયપદાર્થને ત્યાગ કરવામાં જે સમથ હોય તેજ જ્ઞાન વાસ્તવિક રીતે પ્રમાણુરૂપ હોઇ શકે, સ ́નિક વિગેરે જડ પદાર્થોને પ્રમાણુરૂપ માનવામાં જ્યારે કાઈ પણ યુક્તિ નથી ત્યારે તેને પ્રમાણ કેવી રીતે માની શકાય ? કારણ કે પ્રમાણ તે જ્ઞાન જ હોઈ શકે, અજ્ઞાન તે છુ કદાપિ નહિ. કિચ, પ્રમાણુરૂપે માનેલ જ્ઞાન પણ નિશ્ચયાત્મક હોવુ જોઇએ, પરન્તુ સશય, વિષય અને અનધ્યવસાયરૂપ નહિ. હવે અનુક્રમે તે ત્રણનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy