________________
તવાખ્યાન.
- - અન્ન, વાણું, વસ્ત્ર, પાત્ર, વસતિ વિગેરેનું પ્રદાન કરવું તે આ નિયમને ભાવાર્થ છે. ચિ, ઉત્તમ આચારવાળા ઉચ્ચકેટિના ગૃહસ્થની પણ પ્રતિપત્તિ કરવી તે પણ આ નિયમવાળાને ઉચિત છે. તેને સમાવેશ પણ આ નિયમમાં થઈ જાય છે, ટુંકમાં આ બાર નિયમનું જે વિવેચન કરવામાં આવેલ છે, તેમાં પ્રથમનાં પાંચ વ્રતને પાંચ અણુવ્રત એવું નામ આપવામાં આવેલ છે, કારણ કે સાધુમહાત્માઓના પાંચ મહાવ્રતની અપેક્ષાએ તે અણુ-નાનાં છે. છ, સાતમે અને આઠમે આ ત્રણ નિયમ પાંચ અણુવ્રતને ગુણકારક હેવાથી તે ત્રણને ગુણવ્રત નામ આપવામાં આવેલ છે. અને બાકીનાં ચાર વ્રત ધાર્મિક અભ્યાસ પાડવામાં શિક્ષારૂપ હોવાથી તેને શિક્ષાવ્રત નામ આપવામાં આવેલ છે. જે ગૃહસ્થની જેવી શક્તિ હોય તેને વિચાર કરી તે પ્રમાણે નિયમ પાળવાનું ફરમાન છે. જે સંપૂર્ણ શક્તિ હોય તે તેને ગોપવ્યા સિવાય બારે નિયમનું પાલન કરવું અને અલ્પ શક્તિ હોય તે ઓછા નિયમનું પાલન કરવું. આ પ્રકારનું વીતરાગદેવનું ફરમાન છે. ઉપર્યુક્ત બાર નિયમને પાળનારા ગૃહસ્થને દેશવિરતિ શ્રાવક કહેવામાં આવે છે. તે બતે પણ યોગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિકશુદ્ધિ વિગેરે જઈને આપવામાં આવે છે. આ બારમાંથી એક પણ વ્રત ન પાળતા હોય, ખાલી શ્રદ્ધામાત્ર જ મને મન્દિરમાં રાખતું હોય, તેવા ગૃહસ્થને અવિરતિ શ્રાવક કહેવામાં આવે છે. વ્રત તથા શ્રદ્ધા એ બેમાંથી કઈ પણ ન હોય તેને પ્રથમ ગુણથાનકના અધિકારીરૂપે લેખવામાં આવે છે. અવિરતિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org