________________
જૈનદર્શન.
આ દશમા નિયમમાં સમાવેશ થાય છે, માટે આ નિયમ પણ શુદ્ધ શ્રાવકે બરાબર પાળવાને છે.
૧૧ મા વ્રતના સંબન્ધમાં-જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે આત્માના મુખ્ય ધર્મોને પ્રકાશમાં લાવવા માટે જે પ્રયત્ન કરે તે પષધ નામનું વ્રત કહેવાય છે. આવા પ્રકારના પિષધમાં ઉપવાસ વિગેરે તપસ્યા કરી સાધુની માફક ચાર પહેર અથવા આઠ પહોર પર્યત એક સ્થાનમાં રહી ધર્મધ્યાનની ક્રિયામાં તત્પર થવું. સાવદ્ય વ્યાપારને ત્યાગ, તેલ વિગેરેના મર્દન દ્વારા શરીર શોભાવવાની ક્રિયાને ત્યાગ, બ્રહ્મચર્યની પાલના અને આહારને સર્વથા ત્યાગ કરે અથવા એકાશન કરે તે પણ ચાલી શકે છે. માટે આ નિયમ લીધા બાદ તે દિવસમાં શુભ ચિન્તન કરવું અથવા શાસ્ત્રનું શ્રવણ કરવું અગર પિતે વાંચવું. આ સિવાય બીજી કંઈ પણ સંસાર સંબન્ધી વાતેમાં વખત ગુમાવ નહિ એ આ નિયમને મુખ્ય પરમાર્થ છે. સાધુપણાની વાનકીને સ્વાદ લેવા માટે આ નિયમ પણ ગૃહસ્થને જરૂર આચરવાને છે.
૧૨ મા નિયમના સંબન્ધમ-જે મહાત્માએ સ્વ-પરના આત્માની ઉન્નતિ માટે સાંસારિક તમામ ઉપાધિને ત્યાગ કરી વૈરાગ્યદશાને પ્રાપ્ત કરી કેવલ મેક્ષ તરફ જ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરનારા, યતિ, સાધુ, મુમુક્ષુ, ભિક્ષુ વિગેરે ઉપનામ ધારણ કરનારા ત્યાગી મહાત્માઓને તેમના આચારમાં દૂષણ ન લાગે અને તેમના ચારિત્રમાં ઉપકારી થઈ પડે તેવું શુદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org