________________
જૈનદર્શન.
નીકળે કે ત્રણે વર્ગનું એક બીજામાં બાધા ન આવે તેવી રીતે સેવન કરવું. તેમાં પણ ધર્મને બાધા આવે તેવું કદાપિ કરવું નહિ, કારણ કે તે સિવાય આગળ કલ્યાણ વધ્યાપુત્ર જેવું થઈ પડે. દરેક કાર્ય પોતાની શકિત જોઈને કરવું. બલાબલ ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ અને ત્રિવર્ગની વૃદ્ધિ માટે બરાબર પ્રયત્ન કરે. જે સમયે જે કાર્ય યોગ્ય લાગે તેને વિચાર કરી તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને અવકાશ આપે. જે શાસ્ત્રમાં વીતરાગપ્રરૂપિત ધર્મનું પ્રતિપાદન સારી રીતે કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રનું નિરંતર શ્રવણ કરવું. પિતાના સન્માન કે બીજાના અપમાનની ખાતર પણ નીતિના માર્ગને ઓળંગવે નહિ. આ ત્રણ વર્ગનું પાલન કરવું એ પણ ગૃહસ્થને મુખ્ય આચાર છે.
બુદ્ધિના ગુણેનું નિરૂપણ. શ્રવણ કરવાની ઈચ્છા તે શુશ્રષા, શાસ્ત્રનું શ્રવણ કરવું તે ગ્રહણ, તેને ધારણ કરવું તે ધારણું, જેમાં સંશય, વિપર્યય વિગેરે ન હોય તે વિજ્ઞાન, જોયેલા પદાર્થોનું આલંબન લઈ તેવા બીજા પદાર્થોમાં વ્યાતિપૂર્વક તર્ક કરે તે ઊહ, યુક્તિ અને પ્રમાણુથી વિરુદ્ધ જેમાં હિંસા થાય તેવા પાપના કાર્યથી નિવૃત્ત થવું તે અપહ. અને તર્ક–પ્રમાણ દ્વારા નિર્ણત પદાઈંના જ્ઞાનને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. બુદ્ધિના આ આહ. સુણોને મેળવવા દરેક ગૃહસ્થ પ્રયત્ન કરે એ પણ ગૃહસ્થનેઆચાર છે. ઉત્તમ ગૃહસ્થને નીચેનાં કાર્યો પણ કરવા લાયક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org