________________
૧૧
તે ગમે તે વ્યક્તિ કરી શકે તે વાત આપણે ઉપર જોઈ ગયા. આ પ્રમાણે ધર્મ-સંપાદન કરવાને સર્વને સમાન હક છે એટલું જ નહિ, ધર્મોપદેશક પણ ગમે તે થઈ શકે ફક્ત તેનામાં તે પ્રકારની ગ્યતા હોવી જોઈએ, આ ઉદાર સિદ્ધાન્ત જૈન દર્શનમાં સ્પષ્ટ રીતે ઝળહળે છે.
જૈન ધર્મની ઉદારતા આટલામાં જ પર્યાપ્ત થતી નથી, પરંતુ બીજા પણ એવા અનેક હેતુઓ છે કે જે જૈન ધર્મની ઉદારતાને પૂરવાર કરે છે. જેમકે-જૈન ધર્મની મૈત્રી ભાવના કેટલાકે, પંચેન્દ્રિય મનુષ્ય પરત્વેજ ભ્રાતૃભાવ ધારણ કરવાને આદેશ કરે છે, ત્યારે જૈન ધર્મ તે એથી પણ એક પગલું આગળ ભરે છે અને સમગ્ર બ્રહ્માંડના સમસ્ત જીવ પ્રતિ મંત્રીભાવ રાખવાનું જોર શોરથી કહે છે. આ મૈત્રી ભાવનાના સ્વરૂપ પરત્વે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય • એગશાસ્ત્ર ” ના ચેથા પ્રકાશમાં શું કહે છે તે જોઈએ. એ જ કે– "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥"
અર્થાત કેઈ પણ જીવ પાપ ન કરે, કેઈ પણ અપાશે પણ દુઃખી ન થાઓ, અને વિશ્વના સમસ્ત છને મુક્તિ મળે, આ પ્રકારની ભાવનાને “મૈત્રી ભાવના કહેવામાં આવે છે. આવી મૈત્રી ભાવના ભાવવી એ કંઈ બાળકને ખેલ નથી. જેનામાં રાગ-દ્વેષની ન્યૂનતા હોય તે જ આ ભાવના ભાવી શકે; કેમકે પિતાના દુશમનને–પિતાના ઉપર અપકાર કરનારને પણ દુખને પ્રસંગ ન પ્રાપ્ત થાય એટલું જ નહિ, પરંતુ તે ઉપાંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org