________________
૧૨
તસ્વાખ્યાન, .
-
દેશાચારનું વિવેચન જે જે દેશમાં રહેવું હોય તે તે દેશના ધર્મમાં બાધા ન પહેચે તેવા પ્રસિદ્ધ આચારનું પણ બરાબર પરિપાલન કરવું. જે તે દેશના પ્રસિદ્ધ આચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે ત્યાંના રહેવાસી લેકેની સાથે વિરોધ થાય, અને તેમ થવાથી કઈ વખતે ધર્મમાં પણ હાનિ ઉત્પન્ન થાય. માટે દેશાચારનું પાલન કરવું તે પણ ગૃહસ્થને આચાર છે.
અવર્ણવાદને ત્યાગ કઈ પણ મનુષ્યના અપ્રસિદ્ધ અપવાદ હોય તેને , કદાપિ પ્રસિદ્ધિમાં લાવવા નહિ. તેમાં પણ રાજા, મંત્રી, પુરહિત, રાજગુરૂ અને જેને બહુ લેકે માનતા હોય તેવી
વ્યક્તિને તે અવર્ણવાદ બીલકુલ બેલ નહિ, કારણ કે તેમાં ધાર્મિકદષ્ટિયે અને વ્યાવહારિકદષ્ટિયે નુકસાન જરૂર રહેલું છે. માટે કેઈને અવર્ણવાદ ન બેલ તે પણ ગૃહસ્થને આચાર છે. ખરાબ આચારવાળાને સંગ કદાપિ કર નહિ, સમાગમ હંમેશાં સદાચારવાળા સંત મહાત્માઓને જ કરે; તેથી ઉભય લોકમાં ફાયદો થાય છે. આ જન્મ પણ સુધરે અને પરલેક પણ સુધરે.
માતાપિતાની ભકિતને આચાર. માતા, પિતા, કુલાચાર્ય, કુટુંબમાં જે જ્ઞાનવૃદ્ધ તથા વવૃદ્ધહોય અને જે ધર્મોપદેશક હોય તે તમામને ત્રિકાલવંદન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org