________________
૧૪૦
તત્ત્વાખ્યાન.
ભાવાર્થ–તે બિચારે ચાર્વાક એક રીતે સારો છે, કે જે પ્રકટ ( શાસ્ત્રના બહાના સિવાય કે છલ કપટ સિવાય) નાસ્તિક છે, પરંતુ વેદની ઉક્તિ અને તાપસના કપટથી ઢંકાઈને તેને બહાનાથી, ગુપ્ત રીતે નાસ્તિકનું કામ કરી પિતાની રક્ષા કરનાર જૈમિનિ નમીમાંસક) એ સારે નથી-નાસ્તિકથી પણું વધારે ખરાબ છે. કહેનારને આશય એવું જણાય છે કે વેદનાં હિંસાત્મક વાકયે સુખે ઉચ્ચારી બીજાઓને ઠગનારા કરતાં ચાર્વાક એક રીતે સારે છે, કારણ કે તે તે પિતાને સ્પષ્ટ નાસ્તિક તરીકે ઓળખાવે છે. ધર્મ અથવા વેદમાં આમ જણાવ્યું છે” એવું બહાનું કાઢી અથવા તાપસના વેષથી બહારથી આસ્તિકતા દર્શાવી ગુપ્તવૃત્ય નાસ્તિકનું કામ કરતા નથી. મીમાંસક (જૈમિનિ) તે તેવું કરે છે. તેથી ગુપ્તવૃન્યા નાસ્તિકનું કાર્ય કરી આરિતક લેકેને છેતરવાથી તે પ્રકટ નાસ્તિક કરતાં પણ ખરાબ છે.
એથી એક પ્રાચીન કવિએ પિતાને હૃદયેગાર આવી રીતે પ્રકટ કર્યો છે--
ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् । क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः ॥
ભાવાર્થ-ફૂર કર્મવાળા જે નિર્દય મનુષ્યોએ હિંસાને ઉપદેશ આપનાર શાસ્ત્ર રચ્યું છે, નાસ્તિકેથી પણ અતિ નાસ્તિક તે બિચારા કઈ નરકમાં જશે? તે જ્ઞાની જાણે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org