________________
૧૩૮
તવાખ્યાન,
તેઓ અધતમસ (સાતમી નારકી) માં ડૂબી એ છીએ. હિંસા એ ભૂતકાળમાં ધર્મ થયેલ નથી, [વર્તમાનકાળમાં થઈ શકતે. નથી અને ભવિષ્યમાં થઈ શકશે નહિ. જીની હત્યાથી ધર્મચાહના એ વિષથી અમૃતચાહના જેવી છે.
કિંચ પૂર્વે દેવતા, અતિથિ વિગેરે માટે જે કહેવામાં આવ્યું છે, તે પણ અયુક્ત છે. માત્ર સંકલ્પથી પિતાની પાસે આવેલાં અમૃતમય સર્વોત્તમ પુદ્ગલના રસના આસ્વાદથી જ તૃપ્ત થનારા, વૈક્રિય શરીરધારી દેને અત્યંત દુર્ગન્ધી પશુમાં સની અને મદિરા વિગેરેની આહુતિની ઈચ્છા પણ કેમ હોઈ શકે? પશુમાંસ, મદિરા વિગેરે ઔદારિક પુદગલે તે. ઔદારિક શરીરધારી માંસભક્ષક માંસપ્રેમી નર-પિશાચને જ પ્રિય થઈ શકે. - કિચ, યજ્ઞ, હોમ-હવન વિગેરેમાં અપાતી આહુતિફેંકાતી બલિ વિગેરે વસ્તુઓ તે બળીને રાખ થઈ જાય છે, તે તેની રાખ ખવાય કેવી રીતે? અને તેનાથી તૃપ્તિ પણ કેવી રીતે થાય? એ પણ વિચારવા જેવું છે. હવે કદાચ “અનિપુણ જા” આ શ્રુતિપાઠ દશવી કઈ બચાવ કરે કે “દેવે તે અગ્નિમુખવાળા છે.” તે તે કથનથી એક મુખથી ભક્ષણ કરતા ઉત્તમ, મધ્યમ, અધમ વિગેરે જાતિના દેને એક બીજાના ઉચ્છિષ્ટ ભેજનને પ્રસંગ આવવાને. અપરંચ એક શરીરમાં અનેક મુખે તે કવચિત સાંભળવામાં આવે છે, પરંતુ શરીર અનેક અને મુખ એક આવી અપૂર્વ ઘટના અન્યત્ર સાંભળવામાં આવતી નથી. જ્યારે બધા દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org