________________
કહેવાય છે. આવા જિને સર્વજ્ઞ હોય તેમાં કહેવું શું ? જે ધર્મના પ્રરૂપક સર્વથા વીતરાગ અને અતએ સર્વજ્ઞ હોય તે ધર્મમાં મિથ્યા કથન હોવાને જરાએ સંભવ નથી, કારણ કે પ્રાયઃ અસર્વજ્ઞતા, ભય, રાગ-દ્વેષ વગેરે કારણથી જ મિથ્યા ભાષણ થાય છે. પરમ વીતરાગ પ્રભુએ જૈન ધર્મની પ્રરૂપણ કરેલી હોવાથી આ જૈન ધર્મમાં મિથ્યા ભાષણ કે પક્ષપાતને અલ્પાંશે પણ સ્થાન મળે ખરું કે? જુઓ આ સંબંધમાં હરિભદ્રસૂરિજી શું કહે છે?
" स्याद्वादो वर्तते यस्मिन् , पक्षपातो न विद्यते ।
नास्त्यन्यपीडनं किञ्चित् , जैनधर्मः स उच्यते ॥"
અર્થાત જે ધર્મમાં સ્યાદ્વાદનું સામ્રાજ્ય છે, જ્યાં પક્ષપાતને સર્વથા જલાંજલિ આપવામાં આવી છે અને અન્ય પ્રાણીને કોઈપણ પ્રકારે દુઃખ ન દેવું એ જેને અટલ સિદ્ધાંત છે, તે ધર્મને “જૈન ” કહેવામાં આવે છે.
આ ઉપરથી સહજ સમજી શકાય છે કે અહા ! જૈનધર્મ એ નામ પણ કેટલે વિશાળ અર્થ સૂચવે છે ! પાઠકવર્ય ! જૈનધર્મની ઉદારતાને પ્રથમ પરિચય તે તેને શબ્દ જ કરાવી આપે છે. વિશેષ ઉદારતા તે આપણે આગળ ઉપર જોઈશું.
જૈનધર્મ એ ઉદાર ધર્મ છે, કેમકે અન્ય ધર્મોની માફક આ ધર્મ ધર્માભ્યાસમાંથી સ્ત્રી અને શુદ્રને બહિષ્કાર કરતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ જાતિનાજ મનુષ્યને અને
૧ “સ્યાદાદનું વિવેચન આગળ ઉપર આપવામાં આવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org