________________
મીમાંસકદર્શન.
૧૨૯
(અજ્ઞાન) જેવું જણાય છે, તેઓ રાગ અને દ્વેષમાં જ નિરતર રાચીને રહેલા હોય, તેવા જણાઈ આવે છે. કામવાસનામાં અત્યંત લુબ્ધ છને જે સર્વજ્ઞ માનવામાં આવે, તે અન્ય જીએ શે અપરાધ કર્યો છે કે તેમને પણ સર્વજ્ઞ ન કહેવામાં આવે? ઉપર સૂચવેલ વ્યક્તિ સર્વજ્ઞ સિદ્ધ થઈ શકતી નથી, તે સંબંધિ વિશેષ યુકિતપૂર્વક આગળ જૈનદર્શનમાં જણાવવામાં આવશે. વેદવિહિત હિંસા ધમહેતુ નહિ? તેની મીમાંસા - પૂર્વપક્ષ–“વ્યસન અથવા લુપતાને લીધે અને જે વધ કરવામાં આવે, તે હિંસા અધર્મરૂપ કહેવાય; પારધિ, કસાઈ વિગેરેની હિંસાની જેમ, પરંતુ વેદમાં પ્રતિપાદન કરેલી હિંસા તે ધર્મરૂપ જ કહેવાય, કારણ કે તે હિંસા દ્વારા દેવતા એ, અતિથિઓ, પિતૃલેક વિગેરેની પ્રીતિ સંપાદન કરી શકાય છે, દેવપૂજા વિગેરેની જેમ. તે વાતને પ્રમાથી દઢ કરવામાં આવે છે–
કારીરિ વિગેરે ય કરવાથી દેવતા પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે, ત્રિપુરાર્ણવ ગ્રન્થમાં દર્શાવેલ બકરા વિગેરેને યજ્ઞમાં હેમવાથી દેવતા પ્રસન્ન થઈને બીજા રાજાઓને વશ કરી આપે છે, મધુપર્ક વિગેરે કરવાથી અતિથિની પ્રીતિ પ્રાપ્ત કરી શકાય છે. મધુપર્કમાં પશુની હિંસા કરવામાં પણ પાપ માનવાનું કારણ નથી. તથા શ્રાદ્ધ વિગેરેમાં પશુને વધ કરી માંસ દ્વારા પણ આપવાથી પિતૃક પ્રસન્ન થાય છે. આના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org