________________
. મીમાંસકદર્શન.
૧૨૭
કારણ કે-સર્વજ્ઞના અભાવ વિના જે કેઈપણ પદાર્થની અનુપપત્તિ થતી હોય, તે તેની કલ્પના કરવામાં આવે, પરંતુ તેમ તે છે જ નહિ, ત્યારે અથપત્તિપ્રમાણે સર્વજ્ઞનું બાધક કેવી રીતે થઈ શકે ?
કિચ સર્વજ્ઞ માન્યા સિવાય વેદમાં પ્રામાણ્ય પણ આવી શકે નહિ. જ્યાં ગુણવાળ વકતા ન મનાય, ત્યાં વચનમાં પ્રમાણતાનું બીજું કયું કારણ છે? આવી રીતે સર્વજ્ઞ માનવામાં કઈ પણ પ્રમાણ બાધક થઈ શકતું નથી, તેથી “પ્રમાણપંચકની અપ્રવૃત્તિ અસત છે. તે સ્વીકૃત પ્રતિષ્ઠિત સર્વજ્ઞ જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલા અવિકલ કેવલજ્ઞાનરૂપી પ્રકાશદ્વારા સમસ્ત કાલકને જાણે છે.
પૂર્વ --સર્વજ્ઞ જ્યારે સમસ્ત પદાર્થોને અનુભવ કર છે, ત્યારે તેને અશુચિ પદાર્થોને અને નરક વિગેરેની વેદનાને પણ અનુભવ થવો જોઈએ.
ઉત્તર---જે લોકે જ્ઞાનને પ્રાયકારિ માનતા હોય અર્થાત “રસનેન્દ્રિય વિગેરેની જેમ જ્ઞાન વસ્તુની સાથે સંબદ્ધ થઈ વસ્તુને ગ્રહણ કરે છે એવી માન્યતા ધરાવતા હોય, તેમને પૂર્વોત (અશુચિના સ્વાદને તથા નરક વિગેરેની વેદનાને અનુભવ) દેશે આવવાને સંભવ રહે, પરંતુ જૈને જ્ઞાનને પ્રાકારિ માનતા જ નથી; તેથી તેમના મતમાં તે દેષને લેશ માત્ર અવકાશ મળતું નથી.
પ્રસંગોચિત સૂચવવું આવશ્યક છે કે-જ્ઞાનને અપ્રાપ્યકારી (વસ્તુ પાસે જઈ ગ્રહણ કરે એવું) માનવું અયુક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org