________________
મીમાંસકદર્શન.
૧૧૭
એકએકથી વિશેષરૂપે અનુભવનેચર થાય છે. ધર્મપાલથી વિજયપાલ અધિકબુદ્ધિશાલી, તેથી જિનદત્ત, તેથી જિનપાલ, તેથી જિનરક્ષિત, તેથી ઋષભદાસ તેથી અધિક જ્ઞાનવાન અમુક સાધુ, તેથી અધિક જ્ઞાનશાલી અમુક ઉપાધ્યાય, તેથી અધિક અમુક આચાર્ય, તેથી અધિક જ્ઞાનવાળા ચઉદપૂર્વધર એમ એક બીજાની અપેક્ષાએ જ્ઞાનની તરતમતા જોવામાં આવે છે, ત્યારે તેની વિશ્રાન્તિ પણ અવશ્ય કેઈ એક વ્યક્તિમાં હોવી જોઈએ. જેમાં સર્વ પદાર્થ-વિષયક સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોય, જેનાથી અધિક જ્ઞાન બીજા કેઈમાં ન હોય, તેને જ સર્વજ્ઞ સમજવું જોઈએ.
પૂર્વ --જેમ તપાવેલા ગરમ પાણીમાં અનેક પ્રકારની ઉષ્ણતાની તર-તમતા જોવામાં આવે છે, તે પણ સવથી ઉત્કૃષ્ટ અગ્નિ સરખું પાણી કદાપિ જેવામાં આવતું નથી. અર્થાત પાણી મટીને અરિન થયે એમ કઈ પણ વખતે જેવામાં આવતું નથી તેમ જ્ઞાનમાં પણ સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞપણું હેવું અસંભવિત છે.
ઉત્તર--સહકારિ કારણથી આવેલા આગંતુક ધર્મો સિવાયનો, પિતાના આશ્રયને વિશિષ્ટ બનાવનાર, દ્રવ્યને સહજ ધર્મ જ અભ્યાસ દ્વારા અનુક્રમે વધતે વધતે સર્વોત્કટતાને પામે છે. જેમ સુવર્ણમાં ક્ષાર, માટી, અગ્નિ વિગેરેના પ્રાગદ્વારા નિર્મલતા–અત્યન્ત વિશુદ્ધતા થતી જોવામાં આવે છે. તેમ અનુક્રમે અભ્યાસદ્વારા જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી સર્વ પદાર્થ વિષયક સર્વોત્કૃષ્ટ અત્યંત વિશુદ્ધ ક્ષાયિક નિર્મલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org