________________
અથત આ પ્રમાણે (પ્રકૃતિવાદનું રહસ્ય બતાવ્યું તદનુસાર) એ પ્રકૃતિ–વાદ પણ યથાર્થ જાણ. કેમકે તે કપિલની પ્રરૂપણ છે અને કપિલ તે દિવ્યજ્ઞાની મહામુનિ હતા.
એવી જ રીતે આ મહાત્માએ ક્ષણિક–વાદ, વિજ્ઞાન-વાદ, શુન્યવાદ, અદ્વૈતવાદ ઇત્યાદિના સંબંધમાં પણ તે તે વાદના પ્રરૂપકને શું આશય હો જોઈએ એ દર્શાવી પિતાની મહાનુભાવતા સિદ્ધ કરી બતાવી છે. આવું કાર્ય જૈન મુનીશ્વરોએ કર્યું છે એમાં ખાસ નવાઈ જેવું નથી, કેમકે આશરે ૨૫૦૦ વર્ષ ઉપર થઈ ગયેલા વીર પ્રભુએ આજ માર્ગનું અવલંબન કર્યું હતું એ વાતનું ગણધરવાદ સમર્થન કરે છે. કેમકે તેમાં જણાવ્યા મુજબ વીર પ્રભુએ ગેતમસ્વામીને વેદ અસત્ય છે એમ નહિ કહેતાં તેને અર્થ કરવામાં તેની ભૂલ છે એમ કહી વેદના ખરા અર્થનું પ્રતિપાદન કર્યું હતું. આ જૈનદર્શનની ઉદાસ્તાને અપૂર્વ નમૂને ન ગણાય તે બીજું શું ?
આવા પ્રકારની શૈલીથી આ ગ્રન્થના કર્તા અનભિજ્ઞ છે એમ તે માની શકાય તેમ નથી, કેમકે શાસવાતો સમુચ્ચયમાંના લેકોનું તેમણે કરેલું ટાંચણ તે ગ્રન્થનું તેમણે સારી રીતે અધ્યયન કર્યું તેવું જોઈએ એમ પૂરવાર કરી આપે છે. તેથી કરીને મારું માનવું એમ છે કે ગ્રન્થ-ગૌરવના ભયથી કે કે અન્ય કારણવશાત્ આ વાતની ઉપેક્ષા તેમણે સ્થૂલ બુદ્ધિવાળાઓને માટે કરેલી હોવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org