________________
પડશે કે આ ગ્રન્થમાં પ્રશ્રનેત્તર (સંવાદ) શૈલીને વિશેષતઃ ઉપયોગ કરવામાં આવ્યું છે. આ એની વિશેષતા સૂચવે છે. આ ઉપરાંત સાધારણ રીતે જેમ ષદર્શન વિષયક પુસ્તકમાં દરેક દર્શનના આચારોનું નિરૂપણ કરાવવામાં આવતું નથી, તેમ અત્ર બન્યું નથી. અર્થાત આ ગ્રન્થ આચાર તેમજ વિચાર એ બંનેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે એ પણ એની વિશેષતા છે. હવે આ પ્રસ્તાવનામાં શું લખવું એ વિચાર થઈ પડે છે, કેમકે ગ્રન્થકર્તાએ પ્રમાણ, આત્મા, મુક્તિ, સ્યાદ્વાદ ઇત્યાદિ અનેક ગંભીર વિષયેના ઉપર વિવિધ દષ્ટિ અનુસાર એવું વિવેચન કર્યું છે કે તે સંબંધમાં કંઈ પણ લખવું એ પિષ્ટ–પેષણ જ કહેવાય, છતાં પણ આગળ ઉપર સ્યાદ્વાદ અને મુક્તિના સંબંધમાં બે શબ્દ લખીશ.
વિદુ-રત્ન હરિભદ્રસૂરિજી વિગેરેએ જે વિશિષ્ટ પ્રકારની ઉદારતા પ્રદર્શિત કરી છે, તે તે વાતને લગતે ઉદારભાવ અત્રે પણ દષ્ટિ–ગોચર થાય છે. આ વિશિષ્ટ પ્રકારની ઉદારતાથી એ સમજવાનું છે કે તેઓશ્રીએ દરેક દર્શનકારના મન્તામાં શું રહસ્ય સમાયેલું છે તે દર્શાવવા પ્રયાસ કર્યો છે. દાખલા તરીકે પ્રકૃતિ-વાદની સમીક્ષા કર્યા બાદ તે વાદમાં પણ સત્યતા ઘટાવવા તેમણે પ્રયત્ન કર્યો છે. આની સાબીતીમાં નિમ્ન-લિખિત લેક વિચારવામાં આવે છે—" एवं प्रकृतिवादोऽपि, विज्ञेयः सत्य एव हि ।।
कपिलोक्तत्वतश्चैव, दिव्यो हि स महामुनिः ॥"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org