________________
મીમાંસકદર્શન.
૧૧૩
બીજા ગ્રંથમાં તેમાંનું કંઈ પણ ન હોવાથી વેદ જ અપૌરુશેય માની શકાય, બીજા ગ્રંથ નહિ. - ઉત્તર--બીજા માં પણ પરોક્ષ મંત્રશક્તિરૂપ અતિશય પ્રાપ્ત થાય છે, ત્યારે તેને પણ અપૌરુષેય કેમ ન કહી શકાય?
પૂર્વ ––મંત્રશક્તિ તે અથર્વણ વિગેરે માં જ છે, બીજામાં નથી, માટે વેદો જ અપૌરુષેય કહેવાય, બીજા થે નહિ.
ઉત્તર–આ સમાધાન પણ અયુકત છે; કારણ કે બોદ્ધના ગ્રંથમાં પણ મંત્રશકિત વિશેષરૂપથી ઉપલબ્ધ થાય છે, એમ દરેક વિદ્વાને જ્યારે માન્ય કરે છે, ત્યારે વેદમાં જ મંત્રશક્તિ છે અને બીજામાં નથી એમ કેમ કહેવાય ? અથવા તેમ કહેવાથી વેદમાં અપૌરુષેય કેવી રીતે સિદ્ધ થઈ શકે? - પૂર્વ –મની શક્તિ જે બીજે ઠેકાણે જોવામાં આવે છે, તે પણ વૈદિક મંત્રોની જ સમજવી, બીજામાં તેવી છે જ નહિ, માટે વેદ અપૌરુષેય છે.
ઉત્તર-સમુદ્રમાંથી ગયેલાં રત્નોની માફક જેનોના આગમમાંથી લીધેલા હોવાથી તે મત્રે તેવી શક્તિવાળા છે, પરંતુ વૈદિક મંત્રે તે તેવા કેઈ શુદ્ધ કે નિર્દોષ જોવામાં આવતા નથી, વેદમાં તે ઠેકાણે ઠેકાણે પરસ્પર વિધિ વચને અને હિંસાત્મક યજ્ઞ સિવાય બીજું કંઈ પણ સાર જેવું નથી. જે કાંઈ સારભૂત છે, તે જૈનોના વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી તથા
8
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org