________________
૧૦૮
તવાખ્યાન.
I
વિદ્યમાન છે, ત્યારે તે દ્વારા વર્ગોને પ્રકાશ કેમ થતું નથી? માટે માનવું પડશે કે વણે અપૌરુષેય નથી, કિંતુ પૌરુષેય છે. - કિંચ, વેદને અપૌરુષેય સિદ્ધ કરવા માટે આપની પાસે કોઈ પણ પ્રમાણ નથી, તે પણ બતાવવામાં આવે છે–પ્રત્યક્ષ પ્રમાણુ તે માત્ર શ્રવણેન્દ્રિયદ્વારા શબ્દ માત્રને ગ્રહણ કરવામાં તત્પર હોવાથી અતીન્દ્રિય પૌરુષેયત્વ તથા અપરુષેયસ્વરૂપ શબ્દોના ધર્મોને ગ્રહણ કરવામાં કેવી રીતે સમર્થ થઈ શકે? કારણ કે અનાદિ કાલથી વિદ્યમાન મનાતે આપના વિદને અપાયત્વ ધર્મ પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે ? એ પણ વિચારણીય છે. આમ પ્રત્યક્ષ પ્રમાણ તે ઘરથી જ પલાચન કરે છે. - હવે અનુમાન પ્રમાણે વિચારીએ તે પણ આપના વેદને અપૌરુષેય સિદ્ધ કરવામાં કદાપિ સફળતા મેળવી શકે તેમ નથી. આ સ્થળે આ ત્રણ પ્રકને ઉપસ્થિત થાય છે કે-કર્તાનું
મરણ થતું નથી” એવા હેતુથી વેદને અપૌરુષેય સિદ્ધ કરવા ચાહે છે?, કે વેદાધ્યયનના વાગ્યપણારૂપ હેતુથી સિદ્ધ કરવા માગે છે, અથવા કાલપણરૂપ હેતુથી ? - તેમાં પ્રથમ પક્ષ માનવામાં હેતુ જ જ્યારે જૂઠે છે, ત્યારે તે દ્વારા અનુમાન પણ કેવી રીતે સત્ય હેઈ શકે? કારણ કે-હેતુ તે કર્તાને સ્મરણના અભાવરૂપ છે, અને તે હેતુ તે આત્મામાં જ રહેવાનું અને અપૌરુષેયપણું તે શબ્દમાં રહેવાનું. આમ જ્યારે આપને હેતુ જ જૂદા સ્થાનમાં રહેવાથી અસિદ્ધ થયે અર્થાત્ વેદપક્ષમાં રહેતા નથી ત્યારે તે દ્વારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org