________________
t
તત્ત્વાખ્યાન ઉત્તરા.
શશશૃંગની જેમ જગમાં સજ્ઞ કાઇ છે જ નહિ. તેથી જ કહ્યું છે કે
अतीन्द्रियाणामर्थानां साक्षाद् द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥ ---ક્ષેાકવા ક.
ભાવાર્થ:—આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ, નરક, પરમાણુ વિગેરે અતીન્દ્રિય પદાર્થીના સાક્ષાત્ જોનાર કાઇ નથી; તેથી નિત્ય વચન–વેદ વાચવડે જે જીવે તે જ જીવે છે. તે વેદવાક્યથી જ યથા પદ્માને નિ ય કરવે. અત એવ વેદને અપૈરુષેય માનવામાં આવે છે, અર્થાત્ જેના રચનાર કાઇ પુરુષ નથી. એ નિત્ય વેદવાકયના અભ્યાસ કરવાથી અતીન્દ્રિય પદાર્થોનુ પણ જ્ઞાન મેળવી શકાય છે; એ ઉપરના શ્લોકથી ધ્વનિત થાય છે. પ્ર૦ અપારૂપેય વેદવાકયથી પદાર્થ નુ પરિજ્ઞાન કેવી રીતે
થઇ શકે?
ઉ॰ ઘણા કાળથી ખરાખર ચાલતા આવેલ ગુરૂગમરૂપ સારા સપ્રદાયથી તમામ પદાર્થોનું સારી રીતે જ્ઞાન મેળવી શકાય છે. કહ્યું છે કે
-
अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः । ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ॥
-ક્ષેાકવાર્તિક ( ધર્મસૂત્ર ).
ભાવાથ:—પ્રથમ ખૂબ પ્રયત્નથી . વેદપાઠ કરવા, ત્યાર પછી ધર્મને સિદ્ધ કરનારી ધર્મવિષયક જિજ્ઞાસા કરવી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org