________________
મીમાંસકદર્શન.
પ્રમાણિત (સિદ્ધ) કરવામાં આવશે, તેમાં શાસ્ત્રનું કંઈ પ્રજન નથી. તે જ પુષ્ટ કરે છે–
इदं पुण्यमिदं पापमित्येतस्मिन् पदद्वये । आचाण्डालं मनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ।।
-કવાર્તિક પૃ. ૨૮ ભાવાર્થ –તળાવ, નદી, વાવડીઓ, કુવા વિગેરેનું બનાવવું, યજ્ઞકર્મ વિગેરે પુણ્યરૂપ સમજવું, પરારાગમન, બીજાઓની નિન્દા, બીજાઓનાં ઘર-બાર બાળવાં વિગેરે અત્યાચારને પાપરૂપ સમજવું એ વિગેરે ચંડાલ મનુષ્યથી લઇને વિદ્વાન સુધીના તમામ લેકે જાણે છે. તેમાં શાસનું પ્રયજન છે. કેવળ પ્રવર્તક વિધિરૂપ વેદવાકયો જ ધર્મનાં બેધક છે.
- સાધ્ય અને સાધનને કોઈ એક સ્થળે પ્રત્યક્ષથી નિર્ણય કર્યા પછી અનુમાન પ્રમાણ પ્રવર્તતું હોવાથી તે દ્વારા પણ ધર્મને નિશ્ચય થઈ શકે તેમ નથી. કેમકે-સાધ્ય અને સાધનને કોઈ સ્થળે પ્રત્યક્ષ જોયા પછી તેની વ્યાપ્તિને નિર્ણય થાય છે, ત્યાર પછી હેતુને પક્ષમાં પ્રત્યક્ષ જેવાથી સાધ્યનું અનુમાન કરવામાં આવે છે. આ વાત ધર્મના અનુમાનમાં આકાશપુષ્પ જેવી હવાથી અનુમાન પ્રમાણથી ધર્મને નિર્ણય થઈ શકે તેમ નથી. * ઉપમાન પ્રમાણ પણુ ધર્મને નિર્ણય કરવામાં ઉપયોગી આઈ શકે તેમ નથી. કેમકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org