________________
૪
વિષચેની માહિતી જૈન ગ્રન્થામાં આપેલી હકીકત ઉપરથીજ નહિ, પરંતુ તે તે દર્શનના માનનીય ગ્રન્થાના માધારે આપ વામાં આવી છે એ આ ગ્રન્થની વિશિષ્ટતા સૂચવે છે. વળી સાંખ્યાદિક દશનાની સમાલેાચના કરતી વેળાએ પણ મધ્યસ્થ ભાવને તેમજ ન્યાયશૈલીને પ્રધાનપદ આપવામાં આવ્યાં છે એ ગ્રન્થકારનું હૃદય કેવું સરલ હાવુ જોઇએ તે સૂચવે છે. જૈન દનને નાસ્તિક કહેવાની તેમજ જૈન દર્શનમાં જૈન તત્ત્વાનુ જેવી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, તેથી કઇક એરજ સ્વરૂપવાળાં તે તત્ત્વાને-અરે તેને વિપરીત આલેખવાનુ જેમ સદનસ'ગ્રહના લેખકાદિકે સાહસ કર્યું. છે, તેવુ કાર્ય ણા ગ્રન્થકારે કર્યું નથી એ તા બેધડક જોઇ શકાય છે. દરેક દર્શનમાં કચિત્ સત્ય રહેલું છે ? એ વાતથી વાકેફગાર કરનારા સ્યાદ્વાદ-ચક્રવર્તિની મુદ્રાથી મુદ્રિત જૈન સાધુ કોઇ પણ દશનના મન્તવ્યને અઘટિત રીતે ઉતારી પાડવા તૈયાર થાય એમ મને ખરૂ કે ? મા કંઇ અતિશયાક્તિ નથી. શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત શાસ્રવાર્તાસમુચ્ચય (તૃતીય સ્તખક) આ વાત સિદ્ધ કરી આપે છે. દા. ખલા તરીકે, ન્યાયઢષ્ટિએ ઈશ્વર જગકર્તા સ‘ભવી શકે નહિ એમ સાબીત કર્યાં પછી પણ એ મન્તવ્યને મજબૂત રીતે વળગી રહેનારની લાગણી ન દુઃખાય તેટલા માટે તેમજ અપેક્ષાનુસાર આ વાત ઘટાવી શકાતી હાવાથી તે મુનિરાજે આ સંબંધમાં કેવા ઉદ્ગાર કાઢયા છે, તેનુ' અત્ર સિંહાવલોકન કરાવવામાં આવે છે.
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org