________________
મીમાંસકદર્શન.
-
આ
તુળતુ સુનઃ ” એ ન્યાયથી પૂર્વોકત લેકને મહષિપ્રતસત્ય માનીએ; તે પણ તેને અર્થ જે પ્રમાણે કરવામાં આવે છે, તે પ્રમાણે યુક્ત નથી, કિન્તુ આ પ્રમાણે જોઈએ
પાંચ ભૂતથી બનેલા-તૈજસ અને કામણ સહિત આદારિક શરીરમાં રહેલે હું જે કે એક છું, તે પણ કર્મની પ્રબળતાથી અનન્ત પુદ્દગલ પરાવર્તનરૂપે સમસ્ત ભૂતેમાં વ્યવસ્થિત છું. આદારિક, વૈકિય, આહારક, તૈજસ, કાર્મણ, ભાષા, મન વિગેરે દરેક વર્ગને મેં સ્પર્શ કર્યો છે, કેઈ વર્ગણનું અવલંબન મેં નથી કર્યું તેમ નથી. તથા મેં જન્મ-મરણ દ્વારા સમસ્ત ક્ષેત્રને સ્પર્શ કર્યો છે, તેમ જ સમસ્ત કાલચકે અનુભવ્યાં છે–તેવું કંઈ પણ ક્ષેત્ર કે તે કઈ પણ સમય નથી, કે જેમાં મહારાં જન્મ-મરણ ન થયાં હોય. તથા સમસ્ત કષાના અધ્યવસાયે પણ મેં અનુભવ્યા છે. આ કથનને સારાંશ એ જ છે કે-હું એકલે હેવા છતાં મેં જન્મ-મરબુદિ દ્વારા દરેક ભૂતેને અનુભવ્યાં છે. મહર્ષિને આવે આશય જ સંભવે છે. તેને વિપરીત રૂપમાં મૂકનાર પરમાર્થથી અતિ દૂર કહી શકાય.
પોડ થઇ જાજ' આ વાક્યને અર્થ “બ્રહ્મરૂપે હું એક છું, પણ અંશાંશિભાવથી મેં વિવિધ રૂપને ધારણ - કર્યા છે. વેદાન્તીઓ કહે છે, તે ચુક્ત નથી. કેમકે એકાન્તવાદીથી મનાતા એક જ બ્રામાં અવયવાવયવિભાવ-અંશાંશિભાવની કલ્પના અશક્ય છે. અંશાંશિભાવ ઘટ, પટ વિગેરે રૂપી દ્રવ્યમાં જ ઘટી શકે એ આબાલગોપાલ સુપ્રસિદ્ધ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org