________________
92
તવાખ્યાન–ઉત્તરાર્ધ.
અપેક્ષાએ તે સત્ કહેવાય, પરંતુ બીજા રંગવાળી માટીની અપેક્ષાએ તે તે અસત્ જ ગણાય.
જેમ ઘડામાં અપેક્ષાએ નિત્ય અને અનિત્ય, સામાન્ય અને વિશેષ, સત્ય અને અસત્વ વિગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે માનવામાં લેશમાત્ર અડચણ નથી, તેમ દરેક વસ્તુમાં અપેક્ષાએ ઉપર્યુકત વિરુદ્ધ ધર્મોને એક સાથે માનવામાં પણ કશી હાનિ નથી. આવી રીતે અનેકાન્તવાદને આશ્રય લઈ કઈ પણ માન્યતેને એકાન્તથી ન પકડતાં મધ્યસ્થબુદ્ધિથી પ્રતિપાદન કરવામાં આવે તે તે કથન સર્વ કેઈને ઉપાદેય થઈ શકે એ સ્વાભાવિક છે.
સ્યાદ્વાદનું વિશેષ સ્વરૂપ જિજ્ઞાસુજનેએ અનેકાન્તજયપતાકા, સ્યાદ્વાદ-રતનાકર, અષ્ટસહસ્ત્રી, નયચકસાર વિગેરે ગ્રન્થથી જાણું લેવું. આગળ જૈનદર્શનમાં પણ તે સંબંધી કેટલુંક વિવેચન કરવામાં આવશે. સાથે અન્ય દર્શનકારોએ પણ પ્રકારાન્તરથી લીધેલ સ્યાદ્વાદને આશ્રય પણ દર્શાવવામાં આવશે.
એક ભૂતાત્મા દરેક ભૂતમાં વ્યવસ્થિત છે. જેમ ચન્દ્ર એક હોવા છતાં પણ જલમાં પ્રતિબિંબ પડવાથી અનેકરૂપે જેવામાં આવે છે, તેમ.” આવું જે પ્રથમ પ્રતિપાદન કર્યું છે, તે કેટલે અંશે સત્ય છે તે તરફ હવે દષ્ટિપાત કરીએ
પ્રથમ તે ત્યાં ચન્દ્રનું દૃષ્ટાન્ત જ ઘટતું નથી. કેમકે શાસ્ત્રોમાં સૂચવ્યું છે કે-જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org