________________
તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ.
- “જડ પદાર્થોને અને કર્મલિપ્ત અશુચિ પદાર્થોને પણ બ્રહ્મરૂપ માનવા ” આવી વિચિત્ર માન્યતાઓમાં અથવા સ્વીકારેલા પદાર્થોમાં કયે બુદ્ધિશાળી શ્રદ્ધાળુ બને ? અત્ર જે વિચાર કરવામાં આવ્યું છે, તે તેમની યુક્તિ પર ધ્યાન આપી કરવામાં આવ્યો છે. - વરસ્તુસ્થિતિ વિચારતાં વેદાન્તી લેકે અદ્વૈતવાદીઓના આશયથી ઘણું દૂર છે. કારણ કે-મહર્ષિ અસત્યવાદ પષતા નથી. મહર્ષિના વિશુદ્ધ આશયને સમજ્યા વિના અને ભ્રમજાળમાં ફસાવવાની ચેષ્ટા કરનાર મનુષ્ય ભવભ્રમણ સિવાય અન્ય કોઈ પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી.
મહર્ષિને આશય.
अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वतदेशना शास्त्रे निर्दिष्टा न तु तत्त्वतः ॥
-શાસ્ત્રવાર્તાસમુચ્ચય પ. ૩૦૪ શ્લ૦ ૮ ભાવાર્થ-અન્ય વ્યાખ્યાકારો એવી વ્યાખ્યા કરે છે કે શાસ્ત્રમાં દર્શાવેલી અદ્વૈત દેશના સમભાવની પ્રકૃષ્ટ સિદ્ધિ માટે છે, પરંતુ વારતવિક નથી.
પ્રપંચમાં અવિઘાને વિકાસ દર્શાવવાથી એમ સૂચવે છે કે શત્રુ-મિત્ર, પિતા-પુત્ર વિગેરે વિષયક રાગ-દ્વેષ પણ મોક્ષના પ્રતિબન્ધરૂપ છે. આ હારા પિતા છે, હું તેને પુત્ર છે, આ મહારે પુત્ર છે, હું તેને પિતા છું, આ હારી વહાલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org