________________
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
ન સ્વીકારે, તે પણ એકાન્તમાં નેત્ર મીંચી-બન્ધ કરી સત્ય ન્યાયમાગને તે વિચારે,
ઉપર્યુકત કથન પ્રમાણે જે વિચાર કરવામાં આવે તે વાસ્તવિક તત્વબેધ અવશ્ય થાય, પરંતુ વેદાન્તી મહાશય તે ભ્રમજાળથી ફસાયેલા હોવાથી સત્ય માર્ગથી ઘણું દૂર જણાય છે. જે એમ ન હેત તે પ્રબળ યુકિતવાળા વિશાળ સર્વોચ્ચ જૈનદર્શનને તેમ કહેવા કદાપિ સાહસ કરતા નહિ. કિંચ તેઓએ ગુરુગમપૂર્વક વારતવિક રીત્યા જૈનદર્શનને અભ્યાસ કર્યો જણાતું નથી. કેમકે જે જૈનદર્શનનું વાસ્તવિક જ્ઞાન તેમને હોત તે નૈવામિન્નરમવાત' આ સૂત્રની ટીકામાં પ્રકટ કરેલી અનભિજ્ઞતા પ્રકટ કરતા નહિ. તથા સિદ્ધાન્તબિન્દુ તેત્ર વિગેરે ગ્રન્થમાં અન્ય દર્શનની જેમ જૈનદર્શનને નિત્ત્વ દર્શાવવાને પ્રસંગ આવત નહિ. વિશેષ બ્રહ્મસૂત્ર અને તેની ટીકાની સમાલે ચનાના પ્રસંગે વિચાર કરવામાં આવશે.
જગતની ઉત્પત્તિને વિચાર. उपादानं प्रपञ्चस्य ब्रह्मणोऽन्यन्न विद्यते । तस्मात् सर्वप्रपञ्चोऽयं ब्रह्मवास्ति न चेतरत् ॥
–અપરોક્ષાનું ભૂતિરત્ર પૃ. ૩૫૫, લો. ૪પ ભાવાર્થ-જગતનું ઉપાદાનકારણ બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી, આકાશ વિગેરે પાંચ મહાભૂત અને સર્વ સૈતિક પદાર્થોનું ઉપાદાનકરણ બ્રહ્મ જ છે. તેથી આ સર્વ પ્રપંચ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org