________________
મીમાંસકદર્શન.
a
-
દર્શનમાં ઈશ્વરને માયિક કહેલ છે, એ નીચે દર્શાવેલ શંકરાચાર્યના જ શબ્દથી સિદ્ધ થાય છે. “a wાવિન વિત’ -સદાચારસ્તોત્ર પૃ. ૩૮.
માયાવીને-માયા કરનારને-કષાયવાળી વ્યક્તિને ઈશ્વર કહેનાર વેદાન્તીએ પિતે છળ-કપટ કરે એમાં આશ્ચર્ય ન ગણાય, તેમની લીલાઓ પણ અકળ જ હોય; તેથી તેઓ માત્ર બ્રહ્મચર્ય પાળનારને બ્રહ્મચારી તરીકે કબૂલ રાખતા નથી. તેઓના મત પ્રમાણે બ્રહ્મનું અધ્યયન કરનાર, સર્વને બ્રહ્મરૂપ જાણનાર બ્રહ્મચારી જ સત્ય બ્રહ્મચારી મનાય છે. બીજા બ્રહ્મચારી ન ગણતા હોવાથી તેઓને બ્રહ્મચર્યા વરથાવાળા પણ કેમ કહેવાય? એથી મનુસ્મૃતિ વિગેરે હિન્દુએના પ્રધાન ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ અનેક બ્રહ્મચારીએને મેક્ષ પણ વેદાન્તમતના અભિપ્રાય પ્રમાણે અસત્ય સિદ્ધ થાય છે. બ્રહ્મચર્યના પાલન સાથે વેદાન્તને-બ્રહ્મવાદને માને તે જ બ્રહ્મચારી અને તે સિવાયના કેવળ બ્રહ્મચર્ય પાળનાર અબ્રહ્મચારી જ છે.” એમ કથન કરનારની બુદ્ધિમત્તા અપૂર્વ ગણાય ! ! તેમ જ તેમના મત પ્રમાણે દરેક આશ્રમે પણ ભિન્ન જ છે.
શંકરાચાર્ય કહે છે કે-વેદાન્ત સિવાયનાં બીજાં દર્શને વાસ્તવિક ન હોવાથી અનાદરણીય છે. જુઓ -
न सारव्यं न शैवं न तत पञ्चरात्रं
न जैन न मीमांसकादेमतं वा ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org