________________
મીમાંસકદર્શન.
આપવામાં આવે, તે તે તેનાથી ભિન્ન છે કે અભિને? સત છે યા અસએવા અનેક વિકલ્પ થતાં માયાજાળરૂપ માયાવાદ ક્ષણમાં વિનષ્ટ થઈ જાય છે. વિચાર કરતાં માયાવાદ વિખરાઈ જતાં તેનાથી ઉત્પન થતાં આકાશ ધૂલ, સૂક્ષ્મ શરીર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અન્તઃકરણ, શબ્દાદિ વિષય એ તત્તે પણ વાસ્તવિક છે એમ કેમ કહી શકાય? માયાવાદ માનનારા લેકે જ જ્યારે તે તને માયિકરૂપે વર્ણવે છે, ત્યારે તે દ્વારા અમાયિક કાર્ય કેવી રીતે થઈ શકે?
વિશેષતઃ–માયાવાદીઓના મતમાં તર્ક કરવાનો નિષેધ છે. જ્યાં વાવાવાયાં પ્રમાણ' આવી પદ્ધતિ હેય, અથવા
જ્યાં તર્ક કરવામાં આવતાં “નવ સાંધતાં તેર તૂટે' એવી સ્થિતિ હોય ત્યાં તર્કની આવશ્યકતા રહેતી નથી. એથી કેવળ શ્રુતિને સંભાળી તે ઉપર દઢ વિશ્વાસ રાખી ઘરને ખૂણે બેઠાં બેઠાં ભક્તોને માયાવાદ સમજાવે એ શ્રેયસ્કર છે. સદાચારતેત્ર આ કથનને પુષ્ટ કરે છે– कर्मशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः । साङ्ख्य-योगी भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥२८॥ अन्ये पाखण्डिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः। एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥२९॥
ભાવાર્થ-કર્મશાસામાં જ્ઞાન જ કયાં છે? તર્કમાં-તકેની પ્રધાનતાથી પદાર્થવિવેચક-અક્ષપાદઋષિરચિત નૈયાયિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org