________________
૬૨
તત્વાખ્યાન-ઉત્તરાર્ધ.
અને નિષિદ્ધમાર્ગથી નરકગમન ન થતું હોય તે તેવાં અનુઠાને શા માટે દર્શાવવામાં આવ્યાં? તમામ વસ્તુ છીપમાં ચાંદીના ભ્રમ જેવી હોવાથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ વિગેરે એમનાં અનુષ્ઠાને પણ ભ્રમાત્મક-નિરર્થક થઈ જાય છે.
કિંચ, દરેક કાર્યોમાં અજ્ઞાનને જ હેતુ તરીકે માનવામાં આવે તે દંડ વિગેરે કારણસામગ્રી વિના પણ ઘટ વિગેરે કાર્યની ઉત્પત્તિ તથા શમ, દમ વિગેરે સાધનસંપત્તિ સિવાય પણ બ્રહ્માત્મામાં જીવાત્માના લયરૂપ મુક્તિ પણ કેમ ન થવી જોઈએ? અપરંચ, શાસ્ત્ર પણ સ્વપ્નતુલ્ય હોવાથી તેમાં પ્રતિપાદન કરેલ આચરણ પણ સ્વપ્નતુલ્ય થતાં મુક્તિ પણ કેને અને કઈ રીતે મળે ? એ ખાસ વિચારણીય છે.
પ્રસંગોપાત્ત અદ્વૈતવાદને નિરસન કરનારી અન્ય યુકિત દર્શાવવી અત્ર અસ્થાને નથી. અદ્વૈતવાદીઓના મતમાં ચાગ અને સ્વર્ગને કાર્ય-કારણભાવ માનવામાં આવેલ છે. ત્યાગ એ કારણ છે અને સ્વર્ગ એ કાર્ય છે. આ વાતને વેદ પણ વિશિષ્ટતાથી પ્રતિપાદન કરે છે, ત્યારે કોઈ મનુષ્ય સ્વપ્નમાં ચાગ કરે છે તેથી તેને પણ વર્ગ મળવા જોઈએ, કેમકે વેદમાં સામાન્ય રીતે યાગથી સ્વર્ગનું પ્રતિપાદન કરેલ છે, પરંતુ અમુક અવસ્થાના ભાગથી અમુક અવસ્થામાં સ્વર્ગ મળે એવું કાંઈ સૂચવ્યું નથી. આથી વેદાન્તિક લેકેને સુષ્ટિવાદ પણ શૂન્યવાદીઓના જે કહી શકાય. હરિભદ્રસૂરિ મહારાજે યુકત જ કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org