________________
- મીમાંસકદર્શન.
ઉપગદ્વારા પુદ્ગલ વિગેરે દ્રવ્યથી અભેદવરૂપી અને ઘટ વિગેરે આકારથી ભેદસ્વરૂપી ઘટ, પટ વિગેરે તમામ પદાર્થોને
જ્યારે આબાળ-ગે પાળ દૈતભાવ અનુભવે છે, ત્યારે અદ્વૈતભાવ કેવી રીતે માની શકાય?. અપચ, દંડ અને ઘટ, દાન અને સ્વર્ગ વિગેરેમાં લેકપ્રસિદ્ધ અને શાસ્ત્રપ્રસિદ્ધ કાર્ય-કારણભાવરૂપ પ્રચલિત વ્યવહારને પણ અદ્વૈતવાદીઓના મત પ્રમાણે લેપ થવાને પ્રસંગ આવે છે. તથા કાર્યથી કારણનું અને કારણથી કાર્ય કરાતું અનુમાન પણ અદ્વૈતવાદી-અનિર્વાચ્યવાદિના મત પ્રમાણે કેવી રીતે થઈ શકે? એ વિચારવાનું છે.
- તથા સ્વપ્નમાં જોવામાં આવતા સી, રથ, હાથી, ઘેડ વિગેરે પણ અનિર્વચનીય નથી-સર્વથા મિથ્યા નથી. જો કે તે પદાર્થો સમીપ ન હોવા છતાં નિદ્રાદેષિદ્વારા સ્વપ્નમાં સમીપ સમજાય છે, પરંતુ તે પદાર્થોને અભાવ નથી. જે તે પદાર્થો આકાશપુષ્પની જેમ સર્વથા મિથ્યા હોય તે સ્વપ્નમાં સ્ત્રી વિગેરેના સંબંધથી વાસ્તવિક વીર્યપાત કેમ થઈ શકે? એથી સ્થાનિક પદાર્થો સર્વથા અસત્ય કહી શકાય નહિ. કિચ જે તેને બ્રાન્તિ માની નિર્વાહ કરવામાં આવે, તે તે ઠીક નથી. કારણ કે જે પદાર્થો વાસ્તવિક–સત્ય ન હોય, તે પદાર્થવિષયક ભ્રાન્તિ પણ સંભવતી નથી. જેમ કેઈ એક સ્થળમાં સર્પને સર્પરૂપે જોવામાં આવ્યું હોય, અન્યત્ર રજજુને
જીરૂપે યા વાંસને વાંસરૂપે જોવામાં આવેલ હોય ત્યારે બીજા કોઈ સ્થાનમાં તેવી રીતે પડેલ રજજુ અથવા વાંસને દૂરથી જોતાં સર્પની ભ્રાન્તિ થાય છે. અથવા એક સ્થાનમાં છીપને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org