________________
મીમાંસકદર્શન.
એથી શાસ્ત્ર વિગેરે પણ ભાનિતરૂપ ગણાય તેમાં શું આશ્ચર્ય ? બ્રાતિવાદીઓના મત પ્રમાણે તે આ માતા છે, આ પિતા છે, આ પુત્ર છે, આ ભાઈ છે. આ ડેન છે, આ સ્ત્રી છે આવા પ્રકારને વ્યવહાર પણ બ્રાન્તિરૂપ બને છે, તેથી માતા એ સ્ત્રી સ્ત્રી એ માતા, પુત્રી એ સ્ત્રી, સ્ત્રી એ પુત્રી, પિતા એ પુત્ર, પુત્ર એ પિતા ઇત્યાદિ વિરુદ્ધ વ્યવહારને પ્રસંગ પણ સંભવે છે. બીજો પક્ષ માનવામાં આવી રીતે અનેક પ્રકારની આપત્તિ આવતી હોવાથી તે પણ રવીકારી શકાય તેમ નથી,
અનિવચ્ચતરૂપ ત્રીજો પક્ષ પણ વિચાર કરતાં વિખરી જાય છે. આ સ્થળે અનિચ્યતા નિઃસ્વભાવતા અર્થ કરવામાં આવે છે. નિશબ્દને પ્રતિષેધ અર્થ થાય છે. સ્વભાવ શબ્દને ભાવ યા અભાવ આ બેમાંથી કઈ પણ અર્થ થઈ શકે છે. સ્વભાવ શ બ્દને ભાવ અર્થ લક્ષ્યમાં રાખી તેને પ્રતિ અર્થવાળા નિઃશબ્દ સાથે જોડતાં નિસ્વભાવતાને અભાવ અર્થ થાય, એથી એ પક્ષ સ્વીકારતાં અસખ્યાતિ પક્ષ માટે અપાયેલા દેશે આ પક્ષને પણ લાગુ પડે આ દેને દૂર કરવા માટે સ્વભાવશબ્દને અભાવ અર્થ માની તેને નિષેધાર્થક નિઃશબ્દ સાથે જોડતાં અનિચ્ચપદને “ભાવ” અર્થ થાય. એક બ્રહ્મ ભાવરૂપ છે અને બીજો આ ભાવરૂપ થતાં Àતની સિદ્ધિ થતાં અદ્વૈતવાદ ઉડી જાય છે. આમ બકરું કાઢતાં પેસે ઉટ” એ ઉખાણ પ્રમાણે નિસ્વભાવરૂપ અનિવચ્ચતા નામને ત્રીજો પક્ષ પણ માન્ય થઈ શકતું નથી. આ દેષથી બચવા માટે નિસ્વભાવતાને પ્રતીત્યગોચર અર્થાત જ્ઞાનને વિષય નહિ એ અર્થ કરવામાં આવે તે તે પણ યુક્તિયુક્ત નથી, કેમકે “જગત મિથ્યા છે” એટલે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org