________________
મીમાંસકદ ન.
થાય તેને આપ મિથ્યા માના છે ? અગર મિથ્યાત્વના અનિર્વોચ્ય અથ કરેા છે ?
આ ત્રણ પક્ષમાંથી પ્રથમ પક્ષ સ્વીકારવામાં જગત મિથ્યા એટલે અસત્આખ્યાતિરૂપ છે એવે આશય પ્રકટ થતાં સમસ્ત જગત્ અસત્ મનાય ત્યારે સંસારના સર્વથા લાપ માનવે પડે, સ’સારના અભાવમાં મુક્તિના વ્યવહાર પણ કેવી રીતે થઇ શકે ? કેમકે સસારની અપેક્ષાએ મુક્તિપદના અને મુક્તિની અપેક્ષાએ સસારશબ્દના વ્યવહાર થાય છે, જે મંધાય તેજ મૂકાય-મુકત થાય. જ્યારે અધરૂપ સૌંસાર ન માનવામાં આવે ત્યારે મુક્તિ પણ ન માની શકાય. મુક્તિના અભાવ સિદ્ધ થતાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અષ્ટાંગ ચેાગનુ' પાલન તેમજ વૈરાગ્ય, શમ, ક્રમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન વિગેરે નિષ્કુલ બની જાય છે. એથી શૂન્યવાદીઓની જેમ પ્રથમ પક્ષ સ્વીકારી શકાય તેમ નથી.
•
બન્ને પક્ષ પણ વિપરીત ખ્યાતિરૂપ હોવાથી ઇષ્ટ ગણી શકાય તેમ નથી. કેમકે કોઇ પણ પદાર્થના બીજારૂપથી પ્રતિભાસ થવા એ કોઈને પણ રૂચિકર થઇ શકે નહિ, જેમ દૂર હોવાના દોષથી છીપ એ ચાંદી જેવી લાગે, પરંતુ વાસ્તવિક વિચાર કરતાં અને ઉત્તર કાળમાં ખાધજ્ઞાન થતાં સ્પષ્ટ જણાય છે કે એતે છીપ છે, ચાંદી નથી. તેમજ વળી ચાંદીને ચાહનાર પુરૂષનું ચાંદી જેવી જણાતી તે છીપથી કઇ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org