________________
મીમાંસકદર્શન.
ધારણને અનુકૂળ માનસિક ક્રિયાને શ્રવણ કહેવામાં આવે છે. શબ્દદ્વારા અવધારિત અર્થમાં વિરોધની આશકાને નિશંકરણ કરવામાં અનુકૂળ,તર્કના નિમિત્તભૂત માનસિક વ્યાપારને મનન કહેવામાં આવે છે. અનાદિકાળની દુર્વાસના દ્વારા વિષય તરફ ખે‘ચાતા ચિત્તને વિષયથી દૂર કરી આત્મવિષયક સ્થિરતા સપાદન કરાવનાર મનાવ્યાપાર નિદિધ્યાસનના નામથી ઓળખાય છે.
આ નિદિધ્યાસન પ્રાના સાક્ષાત્કારમાં સાક્ષાત કારણ છે, નિદ્વિધ્યાસનમાં મનન સાક્ષાત્ કારણ છે, કારણકે મનન કર્યાં વિના પટ્ટામાં દૃઢતા રહેતી ન હેાવાથી નિદિધ્યાસન થઈ શકે નહિ,મનનમાં શ્રવણુ સાક્ષાત્ કારણ છે,કેમકે શ્રવણ વિના તાય વિષયક નિશ્ચય થઇ શકતા ન હાવાથી શબ્દજ્ઞાનથઈ શકે નહીં. કારણકે શ્રુતા વિષયક ચેગ્યતા તથા અચેગ્યતાના નિશ્ચય સિવાય અનુકૂળ મનન થઇ શકે નહિ; માટે જ્ઞાનની ઉત્પત્તિમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ત્રણે કારણાની ખાસ આવશ્યકતા છે.
૪.
જેમ ઘટ વિગેરે કાર્ટીમાં માટીના પડ વિગેરે પ્રધાન કારણ છે, અને ચક્ર, ઘેરી વિગેરે સહકારિ કારણુ-અપ્રધાન કારણુ છે. તેમ શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાં પણ પ્રાધાન્ય -ગાણુતા છે. શ્રવણ વિગેરેમાં મુમુક્ષુ લોકોને જ અધિકાર છે. એમ કેટલાક કહે છે, ત્યારે ખીજાઓની એવી માન્યતા છે કે ચારે આશ્રમવાળાના અધિકાર છે.’
કિ’ચ, ચિત્તની એકાગ્રતાદ્વારા સગુણ ઉપાસના પણ બ્રહ્મનાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org