SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તપા-શ્રાદ્ધ-પ્રતિક્રમણનાં સૂત્રે [ વિ. ૧ રહરણ ગુચ્છક અને ( કાછ )પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતથી મંડિત, ૧૮૦૦૦ શીલાંગને ધારણ કરનારા તેમ જ અખંડિત આચાર અને ચારિત્રવાળા એમ ચાર વિશેષણોથી યુક્ત એવા જેટલા મુનિએ અઢી દ્વીપમાંની પંદર કર્મભૂમિમાં હોય તેમને ત્રિવિધ પ્રણામ. ૪૧. વરકનક=સતિશત-જિન-વન્દન. સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ અને મેઘ જેવા વર્ણવાળા, નિર્મોહ તેમ જ દેવોથી પૂજાયેલા ૧૧૭ તીર્થકરને વદન. આ સત્ર પાંસડિયા યન્ત્રથી અલંકૃત તિજયપહુતની ૧૧મી ગાથાની છાયાની ગરજ સારે છે. ૪૨. લઘુશાતિ = શાન્તિસ્તવ. - સતિના સદનરૂપ, શાન્ત, અશિવથી–ઉપદ્રવોથી મુક્ત તેમ જ સ્તુતિ કરનારની શાન્તિના નિમિત્તરૂપ એમ ચાર વિશેષણથી યુક્ત શાન્તિનાથને વજન કરી શાંતિ માટે મન્ચનાં પદે વડે એ શાન્તિનાથની રસ્તુત કરવાની પ્રતિજ્ઞા. પદ્ય ૨-૫ નામમન્નમય સ્તુતિરૂ૫ છે. એ દ્વારા ૧. અજિતનાથના સમયમાં સમકાળે આટલા તીર્થકર હતા. આ તીર્થકરોની ઉત્કૃષ્ટ સંખ્યા છે. ૨. “શાન્તિનિશાન્તના શાન્તિના સદન એ અર્થ ઉપરાંત શાતિ દેવીને આશ્રયરૂપ એવો અર્થ પ્રધટી ( ભા. ૨, પૃ. ૪૬૩)માં કરાય છે. અહીં એ દેવીને શાન્તિનાથની શાસનદેવી કહી છે તેમ જ એ દેવી પિતાની બે મૂર્તિઓ બનાવી અમારા (વિજયા અને જયાના ) મિષથી તેમને વંદન કરે છે એ મતલબનું પ્રભાવકચરિત્રમાંના માનદેવસૂરિપ્રબન્ધગત ૬૬મું પદ્ય અપાયું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy