SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ ૧૮. જય વિયરાય પણિહાણ=પ્રાણધાન. તીર્થકરનાં વીતરાગ, જગશુરુ અને ભગવાન એમ ત્રણ સંબોધને, એમના પ્રતાપે ભવભ્રમણને નિજ, માર્ગનુસારિતા, ઇષ્ટ ફળની સિદ્ધિ, લોકવિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગ, ગુરુજનેની પૂજા, પોપકાર, શુભ ગુરુને રોગ અને તેમના વચન પ્રમાણેનું વર્તન ભવોભવ મને હે એવી અભિલાષા. નિદાનની મનાઈ છતાં ભવોભવ પ્રભુના ચરણની સેવાની યાચના, તીર્થકરને પ્રણામ કરવાના ફળ તરીકે દુઃખને ક્ષય અને કર્મોને ક્ષય. સમાધિમરણ અને સમ્યકત્વની પ્રાપ્તિને ઉલેખ તેમ જ જૈન શાસનનું કીતનું. ૧. અરિહંત-ચેઈયાણુંચેઈથય=ચૈત્યસ્તવ. જિત-જિનમૂર્તિઓ સંબંધી કાર્યોત્સર્ગ, એને અંગેનાં વજન વગેરે છ નિમિત્તે અને એની સિદ્ધિ માટેના શ્રદ્ધા ઈત્યાદિ પાંચ હેતુઓ. ૨૦ કલાણુકંદથુઈ=પંચજિનસ્તુતિ. ઋષભદેવ, શક્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન (મહાવીરસ્વામી) એ પાંચ તીર્થકરને વન્દન, ત્રણ વિશેષણોથી વિભૂષિત સર્વ જિનેશ્વરનું કીર્તન, ચાર વિશેષણોથી યુક્ત જિનમતને પ્રણામ, વાગીશ્વરીના વર્ણ અને આસન, એના હસ્તમાં કમળ અને પુસ્તકનું ધારણ તેમ જ એ દેવી પાસે સુખની યાચના. ૧. આ ઉત્કૃષ્ટ યવન્દનમાંનાં પાંચ દંડકમાં બીજું છે. બાકીનાં ચાર તે શકસ્તવ, નામસ્તવ (લગરસ), શ્રુતસ્તવ અને સિહસ્તવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy