SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તપા-શ્રાદ્ધ-પ્રતિકમણનાં સૂત્રે [ વિ. ૧ તેમને સામાયિક પારવાનું નથી. એમણે તે જીવનપર્યત સામાયિક લીધું છે. બીજી વાત એ છે કે આ કંઈ મૂર્તિપૂજક સર્વ તાંબરનું સૂત્ર નથી. ખરતરગચ્છનું સૂત્ર નથી. ખરતરગચછનું સૂત્ર પાંચ ૫ ઈય પદ્યોમાં રચાયેલું છે. વિધિપક્ષનું સૂત્ર સર્વાશે પાઈપમાં સાત' પદ્ય રૂપે છે. એ પદ્યો પૈકી અંતિમ બે પદ્યો તપાગચ્છીયા સાથે સર્વાશે મળે છે. પાશ્વ ચંદીયા ગુચ્છ'નું સૂત્ર જે પાઈય ગાથા અને એક ગુજરાતી વાક્ય પૂરતું છે. અને એ “તપા' ગચ્છના સૂત્ર સાથે સર્વથા મળે છે. ખરું પરંતુ “તપ” ગચ્છના પ્રચલિત સૂત્રમાં આ ઉપરાંત બીજુ જે એક ગુજરાતી સૂત્ર છે તે એમાં નથી આ ગુજરાતી લખાણ મૂળ પ્રણેતાનું જ હોય તે ગુજરાતી ભાષાના ઉદ્દભવ પહેલાનું-કલિ.” હેમચંદ્રસૂરિના સમય પહેલાનું હોઈ શકે નહિ. જે એ પાછળથી ઉમેરાયું હોય તો તે કયારે કેણે મેયું. તેને વિચાર કરવાનો રહે છે તપાગચ્છીય પ્રસ્તુત સત્રની એક પણ પાઈય ગાથા કેઈ આગમમાં તો જણાતી નથી. એની બીજી ગાથા આવસ્મયની નિજજુત્તિની ૮૦૧ મી ગાથા સાથે સર્વથા મળે છે જ્યારે પહેલી ગાથા ખરતર વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૪૬૮ માં રોલા આચાર-દિનકરમાં જોવાય છે. વિધિપક્ષના જયકેસરિના શિષ્ય ઉપા. મહિમાસાગરે વિ. સં. ૧૪૯૮ માં રચેલા પડાવશ્યક વિવરણમાં પણ છે. આ પહેલી * ગાથા આ હિસાબે વિ. સં. ૧૪૬૮ જેટલી તે પ્રાચીન ગણાય જ. આ પૂર્વેની કઈ કૃતિમાં એ હોય તે તે જાણમાં નથી. - હવે ગુજરાતી વિભાગ વિચારીશું. ઉપર જણાવ્યા મુજબ એમાં બે ગુજરાતી વાકયે છે. એક વિધિને લગતું છે તો બીજું દે પર છે. પહેલું વાકય નીચે મુજબ આચાર દિનકરમાં હોવાનો ઉલ્લેખ પ્ર. ટી. (ભા ૧ પૂ, ૨૭૧) માં છે ૧. પહેલાં પાંચ પદની પ્રાચીનતા જાણવામાં નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005318
Book TitleShravako ane Shravikaona Pratikramano
Original Sutra AuthorN/A
AuthorHiralal R kapadia
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1981
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy