SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સમ્યગ્દર્શનપૂર્વક જે આત્મા સમ્યફચારિત્ર્યની યથાશક્તિ સાધના કરે તે સાધુ. જે સાધુઓ અરિહંતપદમાં નથી, સિદ્ધપદ પામ્યા નથી; આચાર્ય કે ઉપાધ્યાય પદવી પ્રાપ્ત કરી નથી તે કેવળજ્ઞાનીઓ, મન પર્યવજ્ઞાનીએ. અવધિજ્ઞાનીઓ–બધા– સમ્ફચારિત્ર્યના આરાધક સાધુઓને આ પાંચમાં પદથી નમસ્કાર થાય છે. આ બધાયને સંગ્રહ કરવા માટે આ પદમાં સવ–સર્વ પદ જવામાં આવ્યું છે. સવાલ : “સવ” પદ અહીં જ કેમ મૂક્યું? ઉપરના પહેલા ચાર પદોમાં પણ તેની જરૂર તો છે જ ને? ઉત્તર : ઉંબરામાં પડેલે દીપક ઉંબરા ઉપર પ્રકાશ. ફેકવા સાથે ઘરના ઓરડામાં પણ પ્રકાશ ફેલાવે છે તેમ આ દેહલી-દીપ ન્યાયથી આ પાંચમા પદમાં રહેલું “સબૂ” પદ ઉપરને ચાર પદોમાં પણ પોતાને અર્થ–પ્રકાશ ફેલાવે છે એમ સમજીને ઉપરના ચારેય પદેમાં “સવ” પદ જેલું છે એમ સમજવું. સવાલ: “સવ” પદથી સર્વ સાધુમાં બાવા, જેગી,. સંન્યાસીઓને પણ ન લેવાય? જવાબ : ના....જરાય નહિ. સાધુ એટલે સમ્યફચારિત્રને આરાધક હોય તે જ લેવાય. જિનાજ્ઞા પ્રતિબદ્ધ પંચ મહાવ્રત તે સમ્યફચારિત્ર્ય. . વળી “સવ’ને બીજો અર્થ સાર્વ પણ થાય છે. સાર્વ એટલે સર્વજ્ઞ ભગવતેના ચીંધ્યા માર્ગે ચાલતા.... સૂ. ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy