SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબાધિકા ઃ ૭૭ અનેક યુદ્ધો ખેલનાર, ભયંકર શસ્ત્રોના આઘાત સહન કરનાર પણ શ્રમણ જીવનના પાલનમાં મંદ બની જાય છે. આથી જ ગૃહસ્થને માટે (જે આત્માઓ શ્રમણ જીવનનું પાલન કરવા સમર્થ નથી તેઓ માટે) જ્ઞાનીઓએ શ્રાવક ધર્મની પ્રરુપણા કરી છે કે જેથી તે આત્માઓ શ્રાવક ધર્મનું સુંદરતયા પાલન કરી ક્રમશઃ અનાસક્તિભાવ કેળવી સર્વ વિરતિનું પાલન કરવા સમર્થ બની શકે છે. શમણું જીવન સ્વીકારવા ઈચ્છનાર દરેક વ્યક્તિઓએ બાહા સાધનો જેવાં કે-લાખની માલ-મિલ્કત, મોટર ગાડી, બંગલે, સ્ત્રી, પુત્ર, પરિવાર, સગાં-સંબંધીઓ વગેરે અને અત્યંતર સાધન મૂચ્છ, વિષય કષા વગેરેને ત્યાગ કરવાને હેય છે, અને શ્રી વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવે પ્રરુપણ કરેલ ત્રિકાલાબાધિત જિન આણુ-જિનશાસનનું શરણ સ્વીકારી સર્વ વિરતિના પાવન પંથે પ્રયાણ કરવાનું હોય છે. એથી શ્રમણ જીવન સ્વીકારનાર આત્માઓ બાહ્ય અત્યંતર સાધનેને છોડી મૂર્છાદિને ત્યાગ કરી ગુરુવર્યોની સમીપે સંયમ સ્વીકારે છે, પંચ મહાવ્રતમય સાધુજીવનના નિયમ પાલન કરવા તત્પર બને છે. આ રહ્યાં તે પાંચ મહાવતે (૧) “સવાયો પાળrફુવા મો વેરમ” આ પ્રથમ મહાવ્રત છે. આ વ્રતથી નાના કે મોટા, સૂમ કે બાદર છવે અપરાધી હોય કે નિરપરાધી હોય, તેમની જાયે અજાણે કોઈ પણ રીતે હિસા ન થઈ જાય તેવી પ્રતિજ્ઞા ધારણ કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy