SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : ષડૂદર્શન સુમેાધિકા જ્યારે બ્રહ્માના કાળથી સેા વષઁ પૂરા થાય છે, ત્યારે પર મેશ્વરની ઇચ્છાનુસાર બ્રહ્મા સૃષ્ટિ કાય બંધ કરે છે ત્યારે પરમેશ્વર સંસારને પેાતાનામાં સમાવી દે છે. તે સમયે શરીર, ઇન્દ્રિય અને મહાભૂતના પ્રવર્તક બધા આત્માઓના અદેષ્ટ અટકી જાય છે. શરીર અને ઇન્દ્રિયાના પરમાણુએ વિખરીને અલગ-અલગ થઈ જાય છે. જેટલા કાર્ય દ્રવ્ય ડાય છે તે બધાં નાશ પામે છે. પહેલાં પૃથ્વીને, પછી જલના, પછી અગ્નિના અને અંતે વાયુને નાશ થાય છે. આ અવસ્થાનું નામ સંહાર અથવા પ્રલય છે. પરંતુ આ પ્રલયાવસ્થામાં પણ મૂળ સત્તાના સંહાર થતા નથી. મૂળભૂત પરમાણુએ જેવાને તેવા બન્યા રહે છે. પરમાણુ અજર-અમર છે. પરમાણુ અને આત્માની સિવાય કાલ, ક્િ અને આકાશના પણ નાશ થતા નથી. જ પ્રલય નિશામાં વિશ્રામ કર્યાં બાદ પરમેશ્વરની ઈચ્છાનુસાર સુષ્ટિની શરૂઆત થાય છે. ઇચ્છા થવાથી જ બધી સૂતેલ શક્તિઓ પુન: જાગૃત થઈ જાય છે, જેનાથી સૃષ્ટિ કાય પુનઃ શરૂ થાય છે. સ` પ્રથમ વાયુના પરમાણુએમાં સ્પંદન થાય છે અને તે પરસ્પર ભેગા થવા લાગે છે. ક્રમશ: મહાવાયુ વાવા લાગે છે. ત્યારપછી જલના પરમાણુ, ત્યારપછી પૃથ્વીના પરમાણુએ અને ત્યારપછી તેજના પરમાણુએ એક બીજા મળે છે આ રીતે ચારેય મહાભૂત ફરીથી આવિર્ભૂત થાય છે. ત્યારે પરમેશ્વરના ધ્યાન માત્રથી તેજ અને પૃથ્વીના પરમાણુએ મળીને એક મેટા અ'ના રૂપમાં ણિત થાય છે. આ 'ડ હિરણ્યગર્ભ કહેવાય છે. આ હિરણ્યગર્ભ થી ચતુર્મુખ બ્રહ્મા નીકળે છે જે સૃષ્ટિ કર્મીમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy