SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબાધિકા : ૫ છે. તેથી આ દર્શનમાં “કર્મવાદને સિદ્ધાંત સ્વીકારાયેલ છે. તેમજ વિચારની દૃષ્ટિએ સ્યાદવાદને અને આચારની દષ્ટિએ અહિંસા આદિને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેથી કર્મવાદને સિદ્ધાંત સ્વીકારી વિચારમાં સ્વાદુવાદ અને આચારમાં અહિંસાદિ મુખ્ય બનાવી આત્મા જે પુરુષાર્થ કરે તે તેના ભલે તે તીર્થકર બની શકે છે, સિદ્ધ પણ થઈ શકે છે. પણ જે તેથી વિપરીત પુરુષાર્થ કરે તે અધભૂમિ નરક નિગેદાદિમાં પણ જઈ શકે છે. -સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જ જેઓ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે ભગવંતના સ્વરૂપમાં પિતાની વૃત્તિઓને તન્મય કરે છે. સર્વ પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. ગુણિ જનનાં દર્શન કરી આનંદ પ્રાપ્ત કરે છે. દીન દુઃખીઓ પ્રત્યે દયા ધરાવે છે, અણસમજુ કદાગ્રહી જી પ્રત્યે માધ્યચ્ચ રાખે છે, તેથી તે જીની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે. અંતે યથા. ખ્યાત ચારિત્ર દ્વારા તે ભગવંતના શુદ્ધ સ્વરૂપને અનુભવનારા થાય છે. કારણ કે જે સ્વરૂપ સિદ્ધ ભગવંતનું છે તે જ સ્વરૂપ શુદ્ધનયની દષ્ટિએ દરેક આત્માનું છે. આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં જે ભિન્નતા છે તે ઔપાધિક છે. વાસ્તવિક નથી એથી પ્રત્યેક આત્મા જ્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેણે અરિહંત અને સિદ્ધ ભગવંતની ઉપાસના કરવી જોઈએ. જૈનદર્શન પરમાત્મા બે પ્રકારે માને છે. (૧) સાકાર પરમાત્મા (૨) નિરાકાર પરમાત્મા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy