SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ : ષડ્રદર્શન સુબાધિકા થનાર અવિદ્યાને જ માયા શબ્દથી કહેવામાં આવેલ છે. અવિદ્યા અને માયામા ભેદને જે વ્યવહાર કરવામાં આવે છે તે ઔપા ધિક જ છે. જેમ-અજ્ઞાનની શક્તિ બે પ્રકારની હોય છે. એક આવરણશક્તિ અને બીજી વિક્ષેપશક્તિ. જેવી રીતે શુક્તિમાં રજત પ્રતિભાસ સ્થળમાં આવરણશક્તિથી શક્તિનું સ્વરૂપ પણ આવૃત્ત થઈ જાય છે અને વિક્ષેપશક્તિથી અસત્ રજતનું પણ ભાન થાય છે. આ રીતે અનાદિ અજ્ઞાનની જે આવરણ શક્તિ છે તેનાથી બ્રહ્મનું સ્વરૂપ પણ આવૃત્ત થઈ જાય છે અને વિશેષ શક્તિથી અસત્ રૂપમાં પણ જગત ભાસિત થાય છે. અહીંયા આવરણ શક્તિના પ્રાધાન્યમાં અવિધા અને વિક્ષેપ શક્તિના પ્રાધાન્યમાં માયા શબ્દને વ્યવહાર કરવામાં આવેલ છે. આ બધું વ્યવહાર ઉપાધિ દ્વારા જ થાય છે, આથી તે ઔપાધિક જ છે. વેદાન્ત શાસ્ત્રાનુસાર પ્રકૃતિ, અજ્ઞાન, અવિધા, માયા આ બધા એક જ પદાર્થ છે, એમાં વાસ્તવિક ભેદ નથી. કાર્યને લીધે ભિન્ન ભિન્ન નામેથી વ્યવહાર કરાય છે જેમ કે પ્રપંચનું ઉપાદાન કારણ હેવાથી પ્રકૃતિ, વિધાને વિરોધી હોવાથી અવિધા કે અજ્ઞાન અને અઘટન-ઘટનામાં ચતુર હોવાથી માયા કહેવામાં આવે છે. જીવ-જીવાત્મા પંચકોશથી આવૃત્ત છે. (૧) અન્નમય કેશ, (૨) પ્રાણમય કેશ, (૩) મને મય કેશ, (૪) વિજ્ઞાનમય કેશ અને (૫) આનંદમય કેશ. પહેલે કેશ ભૌતિક દેહને પ્રતિક છે. તે પછીના ત્રણ કેશે સૂક્ષ્મ શરીરના પ્રતિક છે અને પાંચમે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy