SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ યહૂદાન સુબેાધિકા : ૧૬૭ ગ્રંથાનુ નિર્માણ તેમજ અનેક શાસ્ત્રાર્થા કરી તેઓશ્રીએ પેાતાની કીતિ વિશ્વભરમાં ફેલાવી છે, તેમ કહેવુ અતિશયાક્તિભર્યું નથી. તત્ત્વમીમાંસા અદ્વૈત વેદાંતના મુળ મંત્ર છે. પરમાથ સત્તારૂપ બ્રહ્મની એકતા તથા અનેકાત્મક જગતની માયિકતા. આ તથ્યને સમજવા માટે આત્મજ્ઞાનની સ્વયંસિદ્ધિને સમજવુ અત્ય’ત જરૂરી છે. nit જગત અનુભૂતિ ઉપર અવલ ંખિત છે, અનુભવના આધારે જગતના બધા વ્યવહારા ચાલે છે. આ અનુભૂતિના સ્તરમાં આત્માની સત્તા સ્વત: સિદ્ધ છે, કારણ કે આત્માને જ્ઞાતાનારૂપે ન જાણવાથી વિષયનું જ્ઞાન થઈ શકતુ નથી. શંકરાચાય નું કહેવુ' છે કે—પ્રમાણ આદિ સમગ્ર વ્યવહારાનુ આશ્રયસ્થાન આત્મા છે. “હું નથી” આ પ્રમાણે કોઈ વ્યક્તિ કહેતી નથી. આથી આત્મા છે તેમ સિદ્ધ થઈ જાય છે. phy આત્મા જ્ઞાનરૂપ છે અને જ્ઞાતા પણ છે. જ્ઞાતા ખરેખર જ્ઞાનથી જુદો હાતા નથી. આ ખંને વસ્તુ ભિન્ન ભિન્ન નથી. જ્ઞેય પદાના આવિર્ભાવ થયા પછી જ્ઞાન પાતે જ જ્ઞાતારૂપથી પ્રગટ થાય છે, પર ંતુ જ્ઞેયના ન રહેવાથી જ્ઞાતાની કલ્પનાજ ઉભી થતી નથી. એક જ જ્ઞાન કર્તા તથા કર્યાંથી સબદ્ધ ધરાવતું. હાવાથી ભિન્ન જેવું લાગે છે, પરં'તુ વાસ્તવમાં તે એક જ અભિન્ન પદાથ છે. યથા આમા આશ્માનું જ્ઞાનત્તિ આ વાકયમાં કર્તારૂપ આત્મા અને ક રૂપ આત્મા એક જ વસ્તુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy