SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પહૂદર્શન સુબોધિકા : ૧૨૧ પણ કહેવામાં આવે છે. આ ભવચકને સંબંધ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણ જન્મથી છે. આથી આ દ્વાદશ નિદાનને પ્રતિત્યસમુત્પાદ પણ કહે છે અર્થાત કઈ વસ્તુની પ્રાપ્તિ થયા પછી અન્ય વસ્તુની ઉત્પતિ અર્થાત સાપેક્ષ કારણુતાવાદ. જે અવિદ્યાથી માંડીને જરામરણ સુધીને ત્રણ વિભાગમાં વહેંચેલ છે. ત્રીજુ આર્યસત્ય દુખ નિરોધ – બધું દુઃખમય છે એમ કહી બેસી રહેવાને બદલે ભગવાન બુદ્ધ એ દુઃખથી મુક્તિ શક્ય છે કે કેમ એ બાબતને વિચાર કર્યો અને તેઓએ કહ્યું કે દુઃખોથી છુટી શકાય છે, અર્થાત્ દુઃખ નિરોધ થઈ શકે છે. દુઃખનું કારણ મૂળ અવિદ્યા છે તે દુઃખના મૂળ કારણ અવિદ્યાને નાશ કરવાથી દુઃખ નિરાધ અવશ્ય થઈ જાય છે. આ ઉપરથી નકકી થાય છે કે દુઃખના કારણેને જે અંત આવી જાય તે દુઃખને પણ અંત અવશ્ય આવી જાય. દુઃખને અંત એટલે નિર્વાણ. આ દશા જીવનકાળમાં પણ આવી શકે છે. જ્યારે માણસ અત્યંતર શત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લે છે ત્યારે તે વ્યક્તિ જીવનમુક્ત બને છે. નિર્વાણ એટલે નિષ્કિયતા નહિ, પરંતુ મનને બાહ્ય વસ્તુઓથી તથા આંતરિક ભાથી દૂર કરવું અને આર્ય સત્યને વિચાર તેમજ મનન કરવું. નિર્વાણ પછી પણ બુદ્ધ કર્મયોગી હતા. નિર્વાણને અર્થ જીવનને નાશ નહિ પણ સમગ્ર દુઃખને નાશ. નિર્વાણ અવ સ્થાનું વર્ણન વર્ણનાતીત હોય છે. તે અનુભવગમ્ય છે. નિર્વાણ પામેલ વ્યક્તિ નવ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy