SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ : ષડ્રદર્શન સુબાધિકા બીજુ આયસત્ય દુઃખનું કારણ – ભારતના બધા દાર્શનિકોએ સંસાર દુઃખમય છે તેમ સ્વીકારી તે દુઃખનું કારણ શું છે તેની શોધ કરેલ છે. દુઃખના કારણ માટે દરેક દાર્શનિકે ભિન્ન ભિન્ન મત ધરાવે છે. આ રીતે બૌદ્ધ દર્શન પણ દુઃખના કારણભૂત એકને જ કારણ માનતું નથી, પરંતુ દુઃખ ઉત્પન્ન થવામાં અનેક કારણે છે, જે એક કડી રૂપ છે આ કારણની પરંપરાને બૌદ્ધ દર્શનમાં દ્વાદશ નિદાન નામ આપવામાં આવેલ છે, તે આ પ્રમાણે છે. (૧) જરા-મરણ, (૨) જાતિ, (૩) ભવ, (૪) ઉપાદાન (૫), તૃષ્ણા, (૬) વેદના, (૭) સ્પર્શ, (૮) ખડાયતન, (૯) નામરુપ, (૧૦) વિજ્ઞાન, (૧૧), સંસ્કાર અને (૧૨) અવિદ્યા. પહેલા પ્રત્યે પછી બતાવેલ કારણ છે. આ દ્વાદશ નિદાનમાં બૌદ્ધ દર્શનના પારિભાષિક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે, તેને અર્થ આ પ્રમાણે છે. જાતિ એટલે જન્મ, ભવ એટલે કર્મ, ઉપાદાન એટલે આસક્તિ, ષડાયતન એટલે પંચ જ્ઞાનેન્દ્રિ અને મન, નામરુપ એટલે દશ્યમાન શરીર અને મન, અને વિજ્ઞાન એટલે ચૈતન્ય. આ દ્વાદશાયતનમાં અવિદ્યા જન્મનું મૂળ કારણ બતાવેલ છે. અવિદ્યા એટલે મિથ્યાજ્ઞાન, ક્ષણિક સુખ આપનાર પદાર્થોને શાશ્વત સુખ આપનાર અને નિત્ય માની લેવું તે મિાજ્ઞાન. અવિદ્યા અને સંસ્કાર પૂર્વજન્મના કારણે છે, વિજ્ઞાનથી ભવ સુધીના કારણે વર્તમાન જીવનના કારણે છે, અને જાતિ તથા જરામરણ ભવિષ્ય જીવનના કારણે છે. આ દ્વાદશ નિદાનને ભવચક્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy