SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૧૭ (આચાર સંબંધી ગ્રંથ), અને અભિધમ્મપિટક (દાર્શનિક વિષયેનું વિવેચનાત્મક ગ્રંથ). આ પિટકમાં અનેક નાના મોટા ગ્રંથને સમાવેશ થાય છે. જેમ કે-સુત્તપિટકમાં પાંચ નિકાય છે. નિકાય એટલે સૂત્રસમૂહ (૧) દીર્ઘ નિકાયમાં ૩૪ સૂત્ર, મઝિમ નિકાયમાં ૧પ૨ સૂત્ર, સંયુક્ત નિકાયમાં પ૬ સંયુત્ત, અંગુત્તર નિકાયમાં ૧૧ નિપાત અને ખુદ્ધક નિકાયમાં ૧૫ નાના મોટા પ્રથ, જેમાં બુદ્ધની ૪૨૩ ઉપદેશાત્મક ગાથાઓને સંગ્રહાત્મક ધમ્મપદ તથા બુદ્ધના પૂર્વજન્મની સાથે સંબંધ ધરાવનાર પ૫૦ કથાઓના સંગ્રહરૂપ જાતક અત્યંત પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ખુદૂક પાઠ, ઉદાન, ઇતિવૃત્તક, સુત્તનિપાત, વિમાનવત્થ, પતવસ્થ, થેરગાથા, થેરીગાથા, નિસ, દિસમ્મિદામગ્ન, અપદાન, બુદ્ધવંશ તથા ચરિયાપિટક છે. વિનયપિટકના ત્રણ અંગ છે. સુત્તવિભંગ. ખંધક તથા પરિવાર. અભિધમ્મ પિટકની અંતર્ગત સાત ગ્રંથ છે. નાગસેન કૃત મિલિંદામહે પણ ત્રિપિટકની સમાન જ મહત્વપૂર્ણ મનાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy