________________
શીલ રહિત (વિષયોમાં લોલુપ્ત) અને માત્ર જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન)થી જો મોક્ષ થતો હોય તો દશ પૂર્વનું જ્ઞાન જેને હતું તે રૂદ્ર નરકમાં કેમ ગયો? વધુ શું કહીએ, એટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે. અંતમાં આચાર્યદેવ શીલપાહુડની ગાથા ૩૮માં લખે છે કે -
“જિન વચનનો ગ્રહી સાર, વિષય વિરક્ત ધીર તપોધનો.
કરી સ્નાન શીલ સલિલથી, સુખ સિદ્ધનું પામે અહો!” અર્થ:- જેણે જિનવચનોના સારને ગ્રહણ કર્યો છે અને જે વિષયોથી વિરક્ત થયા છે, જેમનું તપ જ ધન છે અને જે વીર છે, તથા જે શીલરૂપી જલ થી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખોને પ્રાપ્ત કરે છે.
આમ આ અધિકારમાં સમ્યગ્દર્શન જ્ઞાન સહિત શીલની મહિમા બતાવી છે અને તેને જ મોક્ષનું કારણ કહ્યું છે.
સંપૂર્ણ અકૃપાહુડ શ્રમણો (સાધુઓ)માં સમાયેલા અથવા સંભવે તેવા શિથિલાચારના વિરૂદ્ધ એક સમર્થ આચાર્યનો સશક્ત અધ્યાત્મ આદેશ છે, જેમાં સમ્યગ્દર્શન ઉપર તો સર્વથી અધિક બળ આપ્યું છે અને સાથે સાથે શ્રમણોના સંયમ આચરણના નિરાતિચાર પાલન ઉપર પણ પૂર્ણ પ્રકાશ પાડ્યો છે. શ્રમણોને ડગલે ને પગલે સાવચેત કર્યા છે.
સમ્યગ્દર્શન રહિત સંયમ ધારણ કરવાથી સંયમાચરણમાં શિથિલતા અનિવાર્ય છે. સમ્યગ્દર્શન રહિત શિથિલ શ્રમણ સ્વયં તો સંસાર સાગરમાં ડૂબે છે પણ સાથે સાથે અનુયાયીઓને પણ ડૂબાડે છે તથા નિર્મળ જૈન ધર્મને પણ કલંકિત કરે છે અને અપમાનજનિત કરે છે. તે લોકો આત્મદ્રોહી હોવા ઉપરાત ધર્મદ્રોહી પણ છે. આ વિષે આચાર્ય કુંદકુંદને ઊંડાણથી સંપૂર્ણ ખ્યાલ હતો અને તેથી જ તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અકૃપાહુડમાં ઘણી કઠોરતાથી નિષેધ કર્યો છે.
આમ અત્યત સ્પષ્ટ છે કે અષ્ટપાહુડ શિથિલ આચારની વિરૂદ્ધમાં એક સશકત દસ્તાવેજ છે.
૮૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org