________________
(૮) શીલ પાહુડ
શીલ પાહુડના વિષય વસ્તુને સ્પષ્ટ કરતાં પંડિત જયચંદજી છાબડા લખે છે કે:
“શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ, જ્ઞાન દર્શનમયી ચેતના સ્વરૂપ છે, તે અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે. તેનાં વિશેષરૂપ મિથ્યાત્વ-કપાય આદિ અનેક છે, તેને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે. તેના ભેદ સંક્ષેપમાં ચોરાસી લાખ કર્યો છે, વિસ્તારથી અસંખ્યાત અનંત થાય છે, તેને કુશીલ કહે છે. તેના અભાવરૂપ સંક્ષેપમાં ચોરાસી લાખ ઉત્તર ગુણ છે તેને શીલ કહે છે. આ તો સામાન્ય પરદ્રવ્યના સંબંધની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીનો સંગ તે છે અને તેના અઢાર હજાર ભેદ છે અને તેના અભાવરૂપ શીલના અઢાર હજાર ભેદ છે.
વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેની એકતા તે જ મોક્ષમાર્ગ છે. શીલને સ્પષ્ટ કરતાં શીલ પાહુડની ગાથા ૫ અને ૬માં નીચે મુજબ કહેછેઃ
“જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્રગહીન છે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થક છે.” “જે જ્ઞાન ચરણ વિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે,
તપ જે સમયમાં તે ભલે થોડું મહાફળ યુક્ત છે.” અર્થ- જ્ઞાન જે ચારિત્ર રહિત છે તે નિરર્થક છે અને લિંગનું ગ્રહણ (સાધુપણું) જો દર્શન રહિત છે તો તે પણ નિરર્થક છે તથા સંયમ રહિત તપ પણ નિરર્થક છે આમ જે આચરણ કરે તો બધું નિરર્થક છે.
જ્ઞાન સાથે શુદ્ધ ચારિત્ર અને લિંગનું ગ્રહણ શુદ્ધ દર્શન સાથે તથા સંયમ સહિત તપ આમ જો થોડું પણ આચરણ કરે તો મહાફળરૂપ નિવડે છે.
સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, ચારિત્ર, તપનું આચરણ કરનાર મુનિરાજ નિશ્ચિત રૂપથી નિવણને પ્રાપ્ત કરે છે.
જીવદયા, ઈન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ – આ બધા શીલના જ પરિવારમાં છે. વિશ્વના ભક્ષણથી તો જીવ એક જ વાર મરણ પામે છે, પરંતુ વિષયરૂપ વિષ (કુશીલ)ના સેવનથી અનંતવાર જન્મ મરણ ધારણ કરવા પડે છે.
८८
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org