________________
(૭) લિંગ પાહુડ
બાવીસ ગાથાઓના આ લિંગપાહુડમાં જિન લિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરનારાઓને પોતાના આચરણ અને ભાવોની સંભાળ રાખવા માટે સાવચેત કર્યા છે.
આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ (વેષ) નગ્ન દશા તો હોય જ છે પણ લિંગ (નગ્ન અવસ્થા) ધારણ કરી લેવા માત્રથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભવ્ય જીવો! ભાવરૂપ ધર્મ ને ઓળખો, એકલા લિંગ વિષ)થી કાંઈ થતું નથી.
આગળ ઉપર અનેક ગાથાઓમાં ઘણા કઠોર શબ્દોમાં કહ્યું છે કે જેની બુદ્ધિ પાપથી મોહિત છે, એવા અમુક લોકો જિનલિંગને (સાધુ વેષ) ધારણ કરીને તેની હાંસી કરાવે છે. નિગ્રંથ લિંગ ધારણ કરીને પણ જે સાધુ પરિગ્રહનો સંગ્રહ કરે છે, તેની રક્ષા કરે છે, તેનું ચિંતવન કરે છે, તે નગ્ન (સાધુ) હોવા છતાં પણ સાચા શ્રમણ નથી, તે અજ્ઞાની છે, પશુ છે.
નગ્ન (સાધુ) વેષ ધારણ કરીને પણ જે ભોજનમા ગૃદ્ધતા રાખે છે, આહાર માટે દોડે છે, કલહ કરે છે, ઈર્ષા કરે છે, મન ફાવે સૂએ છે, દોડતા જતા ચાલે છે, ઉછળે કૂદે છે, વિગેરે અસત્ ક્રિયાઓમાં પ્રવૃત્ત રહે છે, તે મુનિ તો છે જ નહીં પણ મનુષ્ય પણ નથી, પશુ છે.
વળી લખે છે કે જે મુનિ દીક્ષા રહિત ગૃહસ્થોમાં અને દિક્ષિત શિષ્યોમાં ઘણો સ્નેહ રાખે છે, મુનિઓને યોગ્ય ક્રિયા અને ગુરૂઓના વિનયથી રહિત હોય છે, તે પણ શ્રમણ નથી, પશુ છે.
જે સાધુઓ મહિલાઓનો વિશ્વાસ કરીને અને તેમનો વિશ્વાસ સંપાદન કરીને તેઓમાં પ્રવર્તે છે, તેમને ભણાવે છે, પ્રવૃત્તિ શીખવાડે છે, એવા વેષધારી તો પાર્શ્વસ્થથી પણ નિકૃષ્ટ છે, વિનિષ્ટ છે, શ્રમણ નથી.
આવી પ્રવૃત્તિઓમાં પડેલા વેષધારી મુનિઓ ઘણા વિદ્વાન હોવા છતાં, શાસ્ત્રોના જાણકાર હોવા છતાં સાચા સાધુનથી.
અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં કહેલા ભાવોને જાણી જે મુનિ દોષોથી બચી સાચા લિંગને ધારણ કરે છે, તે મુક્તિ પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org