SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રના ધારણ કરનાર મુનિઓ આત્માનું ધ્યાન ધરી લૌકાંતિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચ્યવીને આગામી ભવમાં નિર્વાણને પ્રાપ્ત કરે છે. પણ જેની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે, તે જિનેન્દ્રદેવ તીર્થંકરનો વેષ ધારણ કરીને પણ પાપ કરે છે. તે પાપી મોક્ષમાર્ગથી દૂર છે. નિશ્ચયનયનો અભિપ્રાય એમ છે કે જે યોગી પોતાના આત્મામાં સારી રીતે લીન થઇ જાય છે, તે નિર્મળ ચારિત્રધારી યોગી અવશ્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે. આમ મુનિધર્મનું વિસ્તૃત વર્ણન કરી શ્રાવકધર્મની ચર્ચા કરતાં સૌથી પ્રથમ નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરવાની પ્રેરણા આપે છે. કહે છે કે વધુ કહેવાથી શું લાભ? માત્ર એટલું જાણી લો કે આજ સુધી ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં પણ જેટલા સિદ્ધ થશે, તે સર્વ સમ્યગ્દર્શનને જ આભારી છે. આગળ કહે છે કે જેમણે સર્વીસદ્ધિ કરનાર સમ્યક્ત્વને સ્વપ્નમાં પણ મલિન નથી કર્યું, તે જ ધન્ય છે, તે જે કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે. અંતમાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ નિજ શુદ્ધાત્મા જ છે જે આ દેહમાં રહે છે. અરહંત આદિ પંચપરમેષ્ઠી પણ નિજ આત્મામાં જ રત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે, તેથી મને તો એક આત્મા જ શરણ છે. આમ આ અધિકારમાં મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરતાં સ્વદ્રવ્યમાં રતિ કરવાનો ઉપદેશ આપ્યો છે તથા તસ્વરૂચિને સમ્યગ્દર્શન, તત્ત્વગ્રહણને સમ્યજ્ઞાન અને પુણ્ય-પાપના પરિહારને સમ્યારિત્ર કહ્યુ છે. અંતમાં એક માત્ર નિજ આત્માના જ શરણમાં જવાની પ્રેરણા આપી છે. Jain Educationa International ૮૬ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy