________________
(૬) મોક્ષ પાહુડ
એક સો છ ગાથાઓમાં બાંધેલા આ પાહુડમાં આત્માની અનંત સુખસ્વરૂપ દશા મોક્ષ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ છે તેના આરંભમાં જ આત્માના બહિરાત્મા, અત્તરાત્મા, અને પરમાત્મા – એમ ત્રણે ભેદોનું નિરૂપણ કરતાં બતાવ્યું છે કે બહિરાત્માપણું હેય છે, અંતરાત્માપણું ઉપાદેય છે અને પરમાત્માપણું પરમ-ઉપાદેય છે.
આગળ બંધ અને મોક્ષના કારણોની ચર્ચા કરતાં કહ્યું છે કે પરપદાર્થોમાં મગ્ન આત્મા બંધનને પ્રાપ્ત થાય છે અને પરપદાથોથી વિરક્ત આત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ સ્વદ્રવ્યથી સુગતિ અને પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે, એમ જાણી હે આત્મન! સ્વદ્રવ્યમાં રતિ અને પરદ્રવ્યમાં વિરતિ કરો.
આત્મસ્વભાવથી ભિન્ન સ્ત્રી-પુત્રાદિ, ધન-ધાન્યાદિ બધા ચેતન-અચેનત પદાર્થો પરદ્રવ્ય છે અને તેમનાથી ભિન્ન જ્ઞાન શરીરી અવિનાશી નિજ ભગવાન આત્મા “સ્વદ્રવ્ય' છે. જે મુનિ પરદ્રવ્યોથી ખસી સ્વદ્રવ્યનું ધ્યાન કરે છે, તે નિવણને પ્રાપ્ત કરે છે. તેથી જે વ્યક્તિ સંસારરૂપી મહા જંગલમાંથી પાર થવા ઈચ્છતો હોય તેણે પોતાના શુદ્ધાત્માનું ધ્યાન કરવું જોઈએ. - આત્માર્થી મુનિરાજ વિચારે છે કે હું કોનાથી શું વાત કરું, કારણકે જે પણ આ આંખોથી દેખાય છે તે તો શરીરાદિ જડ છે, મૂર્તિક છે, અચેતન છે, કાંઈ સમજતા નથી અને ચેતન તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે.
જે યોગી વ્યવહારમાં સૂએ છે, તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગૃત છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે, એમ જાણી યોગિજન સમસ્ત વ્યવહારને ત્યાગી આત્માનું ધ્યાન કરે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પરિભાષા બતાવતાં આચાર્યદેવ કે છે કે જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે અને પાપ અને પુણ્યનો ત્યાગ તે ચારિત્ર છે. અથવા તત્ત્વરુચિ તે સમ્યગ્દર્શન, તત્ત્વનું ગ્રહણ તે સમ્યજ્ઞાન અને પુણ્ય-પાપનો ત્યાગ તે સમ્મચારિત્ર છે.
તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-તે બન્ને અકાર્યકર છે, કાંઈ પણ કામના નથી, કારણકે મુક્તિ તો જ્ઞાનપૂર્વક તપથી જ થાય છે. ધ્યાન જ સર્વોત્કૃષ્ટ તપ છે, પણ જ્ઞાન-ધ્યાનથી ભ્રષ્ટ અમુક સાધુઓ કહે છે કે આ કાળમાં ધ્યાન હોતું નથી, પણ આ વાત બરાબર નથી કારણકે આજ પણ સમ્યગ્દર્શન, જ્ઞાન,
૮૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org