________________
(સિંહ) શોભે છે, તે પ્રમાણે જિનમાર્ગમાં નિર્મળ સમ્યગદર્શનથી યુક્ત તપ-વ્રતાદિથી નિર્મળ જિનલિંગ (શ્રાવક અથવા મુનિ) સુશોભિત છે.
આમ સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષોને જાણી ગુણરૂપી રત્નોના સાર એવા મોક્ષ મહલની પ્રથમ સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવું જોઈએ.
જેમ કમળ સ્વભાવથી જ જલથી અલિપ્ત રહે છે તેમ સમ્યગદ્દષ્ટિ જીવ પણ સ્વભાવથી જ વિષય કષાયોથી અલિપ્ત રહે છે.
આચાર્ય દેવ કહે છે કે જે ભાવસહિત સંપૂર્ણ શીલ સંયમાદિ ગુણોથી યુક્ત છે, તેને જ અમે મુનિ કહીએ છીએ. મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા ઘણા દોષોથી સહિત હોઈ અનિવેષ ધારે તો તે જીવ શ્રાવકના સમાન પણ નથી.
જે ઈન્દ્રિઓના દમન અને ક્ષમારૂપી તલવારથી કષાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્રરૂપી ખગથી પાપરૂપી સ્થંભને કાપે છે, વિષયરૂપી વિષનાં ફળોથી ભરપૂર મોહરૂપી વૃક્ષ ઉપર ચઢી માયારૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી સંપૂર્ણ રીતે કાપે છે, મોહ, મદ, ગારવથી રહિત અને કરૂણા સહિત છે, તે મુનિ જ વાસ્તવમાં ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, આધચક્રી, દેવ, ગણધર આદિના સુખોને અને ચારણ ઋદ્ધિઓને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ શુદ્ધતા થતાં અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ, સિદ્ધ સુખને પણ પ્રાપ્ત કરે છે.
ભાવપાહુડનો સારાંશ તરીકે આચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞદેવ કથિત આ ભાવપાહુડને જે ભવ્ય જીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે.
આમ ભાવપાહુડમાં ભાવલિંગી મુનિ સહિત દ્રવ્યલિંગ (વેષ) ધારણ કરનારને પ્રેરણા આપી છે. પ્રકારાન્તરથી સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org